1. Home
  2. Tag "Inauguration"

આઈઝોલમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન નોર્થ ઈસ્ટર્ન રિજનલ કેમ્પસનું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ મિઝોરમની તેમની મુલાકાતે આવેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ​​આઈઝોલ ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન નોર્થ ઈસ્ટના કાયમી નોર્થ-ઈસ્ટ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. કેમ્પસ અંગ્રેજી પત્રકારત્વ અને ડિજિટલ મીડિયામાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અભ્યાસક્રમો ઉપરાંત ટૂંકા ગાળાના મીડિયા અને સંચાર અભ્યાસક્રમો ચલાવશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન (IIMC), ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય […]

PM સાથે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલની મુલાકાતથી ભાજપ ટાર્ગેટ પુરો કરી શકશેઃ પાટિલ

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એકથી સવા મહિના જેટલો સમય બાકી છે. ભાજપે વધુ બેઠકો મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. સૌરાષ્ટ્રમાં પાટિદાર સમાજનો ઘણીબધી બેઠકો પર સારોએવો પ્રભાવ છે. ત્યારે પાટિદાર સમાજને રિઝવવા માટે તમામ પક્ષો પ્રયાસો કરી રહ્યા છે. પાટિદાર સમાજના આસ્થાના કેન્દ્રસમા ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી નરેશ પટેલે અન્ય ટ્રસ્ટીઓ સાથે દિલ્હી જઈને વડાપ્રધાન […]

ગુજરાત અને તમિલનાડુમાં PM મોદી 28 અને 29મીએ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ધાટન-લોકાર્પણ કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28-29 જુલાઈ, 2022ના રોજ ગુજરાત અને તમિલનાડુની મુલાકાત લેશે. 28 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યાના વડાપ્રધાન સાબરકાંઠાની ગધોડા ચોકી ખાતે સાબર ડેરીના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, પીએમ મોદી ચેન્નાઈ જશે અને લગભગ 6 વાગ્યે ચેન્નાઈના JLN ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 44મા ચેસ ઓલિમ્પિયાડની ઘોષણા કરશે. 29મી જુલાઈના રોજ […]

રાજકોટ એરપોર્ટના ટર્મિનલ પર પ્રવાસીઓના સુવિધા માટે સોમવારે નવા બિલ્ડિંગનું ઉદ્ધાટન

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર દિનપ્રતિદિન પ્રવાસીઓના ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. એરપોર્ટના બિલ્ડિંગમાં પ્રવાસીઓની ધક્કામુક્કી જોવા મળતી હતી, તેમજ પ્રવાસીઓ માટેની કોઈ સુવિધા પણ નહતી. આ અંગે સાંસદ સહિત અગ્રણીઓએ એરપોર્ટ ઓથોરિટીને રજુઆતો કરી હતી. આખરે ઓથોરિટાએ મંજુરી આપતા 100 પ્રવાસીઓ આરામથી બેસી શકે એવા નાવ બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે. તા.11મીને સોમવારે એરપોર્ટ પરના નવા […]

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત ડ્રોન મહોત્સવ 2022નું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સવારે 10 વાગ્યે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ – ભારત ડ્રોન મહોત્સવ 2022-નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કિસાન ડ્રોન પાઇલટ્સ સાથે પણ વાતચીત કરશે, ઓપન એર ડ્રોન પ્રદર્શનના સાક્ષી બનશે અને ડ્રોન પ્રદર્શન કેન્દ્રમાં સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કરશે. ભારત ડ્રોન મહોત્સવ 2022 બે દિવસીય કાર્યક્રમ […]

તમિલનાડુમાં રૂ. 31,400 કરોડથી વધુના 11 પ્રોજેક્ટ્સ PM મોદી રાષ્ટ્રને અર્પણ કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મે 2022ના રોજ હૈદ્રાબાદ અને ચેન્નાઈની મુલાકાત લેશે. બપોરે લગભગ 2 વાગ્યે, પ્રધાનમંત્રી ISB હૈદ્રાબાદનાં 20 વર્ષ પૂરાં થવાની ઉજવણીમાં ભાગ લેશે અને 2022ના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (PGP) વર્ગના પદવીદાન સમારોહને સંબોધશે. સાંજે લગભગ 5:45 વાગ્યે, વડાપ્રધાન  ચેન્નાઈના JLN ઇન્ડોર સ્ટેડિયમમાં 31,400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 11 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ […]

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના બિલ્ડિંગ સહિત 7 પોલીસ ભવનો ઉદ્ધાટનની રાહ જોઈ રહ્યા છે

રાજકોટઃ ગુજરાત પોલીસેને પણ હવે સમયની સાથે આધુનિક કરવામાં આવી રહી છે. નાવ વાહનો બોડી કેમેરા વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. તેમજ પોલીસ સ્ટેશનોના જર્જરિત બની ગયેલા મકાનોને નવા બનાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં હાલ સાત જેટલા પોલીસ ભવનો તૈયાર થઈ ગયા છે. પણ ઉદ્ધાટનના વાંકે વપરાશ વિનાના પડ્યા છે. આથી સાતેય પોલીસ ભવનોના […]

મહારાષ્ટ્રના સોલાપુરમાં 292 કિમીના 10 રાષ્ટ્રીય ધોરીમાર્ગનું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં રૂ. 8,181 કરોડના 292 કિલોમીટરના 10 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સોલાપુર જિલ્લા અને તેના પર્યાવરણને દેશના મુખ્ય પ્રવાહમાં લાવવાની ક્ષમતા ધરાવતા આ રોડ પ્રોજેક્ટ્સ સોલાપુરના લોકોની સુખાકારી અને વિકાસ માટે મહત્વપૂર્ણ હશે. આ પ્રોજેક્ટ્સ શહેરમાં ટ્રાફિકને […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવશે, કાલે વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  વધુ એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત ગૃહમંત્રી અમિત શાહ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે. જોકે યુપી ચૂંટણી બાદ ગુજરાતના બંન્ને નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી ગઈ છે. ઉત્તર પ્રદેશના સીએમની આજે સાંજે શપથ વિધિ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સીધા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શુક્રવારે મોડીરાત […]

સુરત અને ઉધના રેલવે સ્ટેશનની નવિન સુવિધાઓનું કાલે શનિવારે રેલરાજ્ય મંત્રીના હસ્તે ઉદઘાટન કરાશે

સુરતઃ શહેરના ઉધના રેલવે સ્ટેશનનું નવિનીકરણ કરાયું છે. પ્રવાસીઓની સુવિધા માટે નવુ પ્લેટફોર્મ, તેમજ રિનોવેશનનું કામ પૂર્ણ કરાયું છે, ઉપરાંત સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચારને એસ્કેલેટર, શેડ, લેવલ-સરફેસિંગ, કોચ ઈન્ડિકેટર, સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચારેય પ્લેટફોર્મને જોડતા ફૂટ ઓવરબ્રિજનું નવીનીકરણ અને GRP પોલીસ સ્ટેશન સુધી વિસ્તરણનો પણ સમાવેશ થાય છે. આવતીકાલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code