1. Home
  2. Tag "NEW DELHI"

44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો- આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે

નવી દિલ્હી: 44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો-IITF આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે. આ 14 દિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં સંયુક્ત આરબ અમીરાત, ચીન, ઈરાન, દક્ષિણ કોરિયા અને ઇજિપ્ત સહિત બાર દેશો ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન, સંરક્ષણ ઉત્પાદન વિભાગ (DDP) આજથી ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. સંરક્ષણ […]

ચૂંટણી પંચે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ 2025 શરૂ કર્યો

નવી દિલ્હી: ચૂંટણી પંચે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ 2025 શરૂ કર્યો. આ કાર્યક્રમ હેઠળ ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા, બેલ્જિયમ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને કોલંબિયાના 14 સહભાગીઓ છ નવેમ્બરના રોજ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું અવલોકન કરશે. પંચે જણાવ્યું કે, બિહારની બે દિવસીય મુલાકાત દરમિયાન સહભાગીઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન બાબતે કેન્દ્રોની મુલાકાત લેશે.ઉદઘાટન સત્રમાં, ઇલેક્ટ્રોનિક […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સમેલન-2025નું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સમેલન-2025નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી દેશમાં R&D ઇકોસિસ્ટમને વેગ આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાના સંશોધન, વિકાસ અને નવીનતા યોજના ભંડોળ પણ રજૂ કરશે . આવતીકાલે શરૂ થનાર ત્રણ દિવસીય સંમેલન આ મહિનાની 5મી તારીખે પૂર્ણ થશે. આનો ઉદ્દેશ્ય શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ, […]

નવી દિલ્હી માં ‘આદિ કર્મયોગી અભિયાન અંગે નેશનલ કોન્કલેવ’નું આયોજન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના ઉપક્રમે નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના અધ્યક્ષસ્થાને “આદિ કર્મયોગી અભિયાન અંગેની નેશનલ કોન્કલેવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન’-PM-JANMAN હેઠળ સમગ્ર દેશમાં ‘બેસ્ટ પર્ફોર્મિંગ રાજય’ તરીકે ગુજરાતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ગુજરાત સરકાર વતી આદિજાતિ વિકાસ […]

નવી દિલ્હી ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય “વાઇબ્રન્ટ ગુજરાત ગરબાનો કાર્યક્રમ યોજાયો

પ્રથમ વખત ગુજરાત પર્યટન વિભાગ દ્વારા દિલ્હીમાં ગરબાનું આયોજન કરાયું, ગુજરાતની રંગતભરી સંસ્કૃતિની ઉત્સવને લોકોએ નિહાળ્યો, રાજ્યપાલ દેવવ્રતજી તથા કેન્દ્રિય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા  ગાંધીનગરઃ પ્રથમ વખત ગુજરાત પર્યટન વિભાગે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર કચેરીના સહયોગથી રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં શરદ પૂર્ણિમાના પાવન અવસરે “વાઇબ્રન્ટ ગુજરાત ગરબા સેલિબ્રેશન” નામે ભવ્ય પોસ્ટ-નવરાત્રિ ઉજવણીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ નવો […]

કેપ્ટન શુભાંશુ શુક્લાએ નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સંજય કુમાર સાથે મુલાકાત કરી

આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ ગઈકાલે નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સંજય કુમાર સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકમાં વિકાસિત ભારત બિલ્ડાથોન 2025 પર ચર્ચા થઈ હતી, જે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સ્વભાવ, સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા અને વિકસિત ભારત […]

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય પરિસંવાદ બેઠક યોજશે

ગાંધીનગર: આગામી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો (VGRC)ના પરિપ્રેક્ષ્યમાં ગુજરાત સરકાર દ્વારા 4 સપ્ટેમ્બર 2025 ના રોજ નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાદેશિક પરિષદોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સામેલ થશે જેમની સમક્ષ રાજ્યના સર્વાંગી પ્રાદેશિક વિકાસની પહેલોને પ્રસ્તૂત કરવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ના ગૌરવમય વારસાને અનુરૂપ […]

અમિત શાહ નવી દિલ્હીમાં ‘રાષ્ટ્રીય સહકારી નીતિ 2025’નું અનાવરણ કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાષ્ટ્રીય સહકારી નીતિની જાહેરાત કરશે. 24 જુલાઈ 2025ના રોજ નવી દિલ્હીના અટલ અક્ષય ઊર્જા ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સહકારી નીતિની મુસદ્દા સમિતિના સભ્યો, તમામ રાષ્ટ્રીય સહકારી સંઘોના અધ્યક્ષો અને મેનેજિંગ ડિરેક્ટરો, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC), રાષ્ટ્રીય સહકારી તાલીમ પરિષદ (NCCT) […]

પ્રધાનમંત્રી 23 મેના રોજ નવી દિલ્હીમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વ ક્ષેત્રને તકોની ભૂમિ તરીકે પ્રકાશિત કરવાના, વૈશ્વિક અને સ્થાનિક રોકાણોને આકર્ષવા અને મુખ્ય હિસ્સેદારો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાના ઉદ્દેશ્ય સાથે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 મેના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે. રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ, […]

નવી દિલ્હી ખાતે ગુજરાતની યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની વિવિધ મંડળો સાથે બેઠક મળી

મુસ્લિમ હીત રક્ષક સમિતિએ યુસીસીની બેઠકમાં પોતાના વિચારો રજુ કર્યા મુસ્લિમ હીત રક્ષક સમિતિ 15 એપ્રિલ સુધી લેખિત રજુઆત મોકલી આપશે ગુજરાતી સમાજે યુસીસીને સમર્થન આપ્યુ  ગાંધીનગરઃ નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યુસીસી સમિતિના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈના અઘ્યક્ષ સ્થાને યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ સંદર્ભે ગુજરાતની યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની મુસ્લિમ હિત રક્ષક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code