1. Home
  2. Tag "president"

દ્રૌપદી મુર્મુ આજે સવારે 10.15 કલાકે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે  

દ્રૌપદી મુર્મુ 15 માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે 21 તોપોની સલામી આપવામાં આવશે શપથ બાદ નવા રાષ્ટ્રપતિ દેશને કરશે સંબોધિત દિલ્હી:નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દેશના સર્વોચ્ચ બંધારણીય કાર્યાલયના શપથ લેશે. તે દેશના 15 માં અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ હશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે શપથ સમારોહ સવારે 10:15 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં […]

આર્થિક સંકટમાં ઘેરાયેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ 13મી જુલાઈએ રાજીનામું આપશે

નવી દિલ્હી: ભારતમાં પડોશી દેશ શ્રીલંકા આર્થિક સંગઠનો સામનો કરી રહ્યું છે. બીજી તરફ લોકોમાં નીકળ્યો છે દરમિયાન દેખ રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન ઉપર કબજો જમાવી લીધો છે અને વડાપ્રધાનના ઘરમાં તોડફોડ કરી આગ લગાવી હતી. વડાપ્રધાને રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે જ્યારે રાષ્ટ્રપતિ 13મી જુલાઈએ રાજીનામું આપે એવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. આ […]

કોંગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકાના પ્રમુખનું રાજીનામું, 4 વર્ષમાં 6 વખત પ્રમુખ બદલાયા

અમરેલીઃ જિલ્લાના રાજુલા નગરપાલિકાના પ્રમુખ છત્રજીત ધાખડાએ જિલ્લા કલેક્ટરને રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકામાં પ્રમુખે રાજીનામું ધરી દેતા રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. પારિવારિક કામના લીધે પ્રમુખ તરીકેનો સમય આપી શકતો ન હોવાથી પ્રમુખ પદ છોડવા માગું છું તેમ લેખિતમાં જણાવી નગરપાલિકા પ્રમુખે જિલ્લા કલેક્ટર સમક્ષ રાજીનામું ધરી દીધું હતું. જેને લઈ […]

ભારતઃ રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ, 18મી જુલાઈએ મતદાન

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આગામી દિવસોમાં પૂર્ણ થઈ રહ્યો છે. જેથી ચૂંટણીપંચ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તા. 18મી જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે અને 21મી જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. દેશના સર્વોચ્ચ પદની ચૂંટણી માટેની સૂચના 15 જૂને જારી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણી […]

અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદે ‘હું જ છું અને રહીશઃ કુંવરજી બાવળિયાનો હુંકાર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સાત મહિના જેટલો સમય બાકી છે, ત્યારે જ્ઞાતિ અને સમાજના પ્રમુખોમાં પદ મેળવવા માટે હોડ જામી છે. જેમાં અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના પ્રમુખ પદને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેને પગલે રવિવારે સુરતના કામરેજ ખાતે મળેલી જનરલ સભામાં માજી મંત્રી કુંવરજી બાવળિયાને બરતરફ કરવાનો નિર્ણય લેવાયો હતો. […]

ઈચ્છિત પરિણામો માટે બધા હિતધારકોએ મધ્યસ્થી તરફ સકારાત્મક વલણ દર્શાવવું જોઈએઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આજે ગુજરાતના નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે, ગુજરાત હાઇ કૉર્ટ દ્વારા આયોજિત મધ્યસ્થતા અને માહિતી ટેકનોલોજી પરની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કાનૂની પ્રેક્ટિશનર તરીકેના તેમના દિવસોને યાદ કર્યા હતા અને કહ્યું કે તે વર્ષો દરમિયાન, તેમના મગજમાં કબજો જમાવનાર એક મુદ્દો ‘ન્યાય […]

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે પ્રજાનો વિદ્રોહ, રાષ્ટ્રપતિના નિવાસસ્થાન ઉપર કર્યો હંગામો

નવી દિલ્હીઃ આર્થિક સંકટને કારણે શ્રીલંકામાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. સેંકડો લોકોએ કોલંબોમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેમને કાબૂમાં લેવા માટે ગોળીબાર કર્યો, જેમાં 10 લોકો ઘાયલ થયા. બેકાબૂ મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓની અછતના કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીલંકામાં પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ […]

નૌકાદળના જહાજો અને સબમરીન અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક્સ, શસ્ત્રો અને સેન્સરથી સજ્જઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ વર્ષોથી ભારતીય નૌકાદળ લડાઇ માટે તૈયાર, વિશ્વાસપાત્ર અને સંયોજક દળ તરીકે ઉભરી આવ્યું છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ‘પ્રિફર્ડ સિક્યુરિટી પાર્ટનર’ છે, એમ ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આજે ગુજરાતના જામનગર ખાતે INS વાલસુરાને પ્રેસિડન્ટ્સ કલરની પ્રસ્તુતિ પ્રસંગે જણાવ્યું હતું . તેમણે કહ્યું કે ભારતીય નૌકાદળ દરિયાઈ ક્ષેત્રમાં આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરી રહ્યું […]

ગુજરાતે માત્ર પોલિટીક્સ જ નહીં પણ સાંસ્કૃતિક, અને આર્થિક ક્ષેત્રે મહત્વની ભૂમિકા નિભાવી છેઃ રાષ્ટ્રપતિ

ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને સંબોધનમાં ગાંધીજી, સરદાર પટેલ, મોરારજી દેસાઈને યાદ કરીને ગુજરાતના વખાણ કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે માત્ર પોલિટિક્સમાં જ નહીં પણ સાંસ્કૃતિક, સામાજિક, અને આર્થિક ક્ષેત્રે મહત્વની ભૂમિકા નિભાવી છે. ગુજરાત સાથે મારો નાતો જૂનો છે. 70 ના દાયકાથી મારુ અહી આવવા-જવાનુ થાય છે. મારી પ્રત્યેક યાત્રામાં […]

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ મમતા બેનર્જીએ રણનીતિ ઘડી, વિપક્ષી દળોને એક કરવાના પ્રયાસો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ ચુંટણીને લઈને મોટો દાવો કરતા રાજકીય ખળભળાટ મચી ગયો હતો. સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત છતા આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી ભાજપ માટે આસાન નહીં રહે. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, તેમની પાસે કુલ ધારાસભ્યોના અડધા પણ નથી. દેશભરમાં વિપક્ષી દળો પાસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code