1. Home
  2. ગુજરાતી
  3. ટીમ ઈન્ડિયાએ ઉજ્જૈન મંદિરમાં દર્શન કર્યાં, બાબા પાસે પંતના આરોગ્યને લઈને પ્રાર્થના કરી
ટીમ ઈન્ડિયાએ ઉજ્જૈન મંદિરમાં દર્શન કર્યાં, બાબા પાસે પંતના આરોગ્યને લઈને પ્રાર્થના કરી

ટીમ ઈન્ડિયાએ ઉજ્જૈન મંદિરમાં દર્શન કર્યાં, બાબા પાસે પંતના આરોગ્યને લઈને પ્રાર્થના કરી

0
Social Share

ભોપાલઃ વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલેશ્વરના દરબારમાં બાબા મહાકાલની દિવ્ય અલૌકિક ભસ્મ આરતીમાં ભારતીય ટીમના ખેલાડી સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરની સાથે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાફે પણ ભાગ લીધો હતો. જેઓએ બાબા મહાકાલની વિધિ-વિધાન સાથે પૂજા કરી આશીર્વાદ લીધા હતા.

આ દરમિયાન સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર બાબા મહાકાલની ભક્તિમાં તલ્લીન થઈને ઓમ નમઃ શિવાયનો જાપ કરતા જોવા મળ્યા હતા. સૂર્યકુમાર યાદવે સાંસદ અનિલ ફિરોઝિયા પાસેથી અલૌકિક શૃંગાર વિશે માહિતી મેળવી હતી.

ભારતીય ટીમના સુપર સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, બાબા મહાકાલની દિવ્ય અલૌકિક ભસ્મ આરતીમાં હાજરી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મેં બાબા મહાકાલ પાસે ઘણી શુભેચ્છાઓ માંગી છે. સાથી બાબા મહાકાલને એમ પણ કહેવામાં આવ્યું છે કે મારા પ્રિય મિત્ર અને સાથી ક્રિકેટર ઋષભ પંત જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી છે. તેમજ અમે મહેનત કરીને ભારતનું નામ રોશન કરીએ તે માટે પણ આર્શિવાદ લીધા હતા. બાબાએ મહાકાલને આ જ પ્રાર્થના કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code