કાશ્મીરના કુલગામમાં આતંકીઓની નાપાક હરકત – ફરી એક હિન્દુ મહિલા શિક્ષકની ગોળીમારીને હત્યા કરી
- કાશ્મીરમાં આતંકીઓનો કહેર
- એક મહિલા શકિક્ષકની ગોળી મારીને કરાઈ હત્યા
શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકીઓ દ્રારા સ્થાનિક લોકોની હત્યાઓના મામલાઓ વધતા જોવા મળી રહ્યા છે,તાજેતરમાં ટીવી અભિનેત્રી અમરિનની ગોળી મારીને હત્યા બાદ ફરી આજ રોજ એક મહિલા શિક્ષકની ગોળી મારીને હત્યા કરનાવો મામલો સામે આવ્યો છે.
જાણકારી અનુસાર કુલગામ જિલ્લાના ગોપાલપોરા વિસ્તારમાં એક હાઈસ્કૂલની હિન્દુ મહિલા શિક્ષિકા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ગોળી વાગતાં મહિલા શિક્ષિકા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું.માહિતી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. હાલ હત્યા કરનારા આતંકીની શોધ ચાલુ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃત શિક્ષકની ઓળખ રજનીની પત્ની રાજ કુમાર તરીકે થઈ છે. તે જમ્મુ વિભાગના સાંબા જિલ્લાની રહેવાસી હોવાનું જણાવાઈ રહ્યું છે. પોલીસનું કહેવું છે કે ગુનામાં સંડોવાયેલા આતંકવાદીઓને ટૂંક સમયમાં ઓળખી કાઝઢી તઓને ખાતમો કરવામાં આવશે,
પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ શિક્ષકની હત્યા પર શોક વ્યક્ત કર્યો હતો. ઓમર અબ્દુલ્લાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘ખૂબ દુઃખદ. નિર્દોષ નાગરિકો પરના તાજેતરના હુમલાઓની લાંબી યાદીમાં આ બીજી ટાર્ગેટ કિલિંગ છે