1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાથી થતા મૃત્યુમાં સૌથી મોટી રાહત – દોઢ વર્ષ બાદ કોરોનાથી થતા મૃત્યુનો સંખ્યાદર સૌથી નીચો
કોરોનાથી થતા મૃત્યુમાં સૌથી મોટી રાહત – દોઢ વર્ષ બાદ કોરોનાથી થતા મૃત્યુનો સંખ્યાદર સૌથી નીચો

કોરોનાથી થતા મૃત્યુમાં સૌથી મોટી રાહત – દોઢ વર્ષ બાદ કોરોનાથી થતા મૃત્યુનો સંખ્યાદર સૌથી નીચો

0
Social Share
  • કોરોનાથી થતા મોતનો આંકડો ઘટ્યો
  • 18 મહિના બાદ સૌથી ઓછો મૃત્યુદર નોંધાયો
  • કોરોનામાં મોટી રાહત

દિલ્હીઃ- દેશમાં વિતેલા વર્ષના આરંભથી જ કોરોના મહામારી વર્તાઈ હતી, જેની પ્રથમ અને બીજી લહેર એ અનેક લોકોના જીવ લીધા હતા ત્યારે હવે કોરોનાને 18 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે ,હવે કોરોનાના કેસો ઘટતા જોવા મળી રહ્યા છે તો સાથે સાથે કોરોનાના કારણે થતા મોતની સંખ્યા પણ ખૂબજ નહીવત જોવા મળી રહી છે.

દેશની રાજધાનીના લોકો 18 મહિનાથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન, દર મહિને કોરોનાના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં પ્રથમ વખત સતત 23 દિવસ કોરોનાગ્રસ્ત લોકો માટે જીવલેણ રહ્યો નથી. 1 થી 25 સપ્ટેમ્બર વચ્ચે, ના ત્રણ દિવસમાં માત્ર એક-એક દર્દી મૃત્યુ પામ્યો. જ્યારે અન્ય મહિનાઓમાં આ આંકડો ક્યારેક 100 અને ક્યારેક આઠ હજાર સુધી પહોંચ્યો હોય તેમ પણ જોવા મળ્યું છે.

દિલ્હી આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે, રાજધાનીમાં અત્યાર સુધીમાં 25 હાજર 85 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.જો  આ મહિનાની વાત કરવામાં આવે તો 7, 16 અને 17 સપ્ટેમ્બરના રોજ પ્રત્યેક દર્દીનું મૃત્યુ થયું હતું. રાહતની વાત છે કે છેલ્લા નવ દિવસથી એક પણ કોરોનાના દર્દીનું મોત થયું નથી. હાલની સ્થિતિમાં 217 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.

નિષ્ણાતોનું કહેવું છે કે રસીકરણ મહત્વનું કારણ છે. દિલ્હીમાં દરરોજ સરેરાશ 1.50 લાખ લોકો રસી મેળવે છે. ચાર મહિના પહેલા, બીજી લહેરમાં, દિલ્હી સહિત આખા દેશને કોરોનાનો સામનો કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન, વસ્તીનો મોટો ભાગ કોરોનાની પકડમાં આવ્યો હતો, જેના કારણે લોકોમાં કોરોના સામે એન્ટિબોડીઝ વિકસાવવામાં આવી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code