1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી તમામ પગલાં ભરશેઃ કેબીનેટમાં લેવાયા નિર્ણયો
ગુજરાત સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી તમામ પગલાં ભરશેઃ કેબીનેટમાં લેવાયા નિર્ણયો

ગુજરાત સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી તમામ પગલાં ભરશેઃ કેબીનેટમાં લેવાયા નિર્ણયો

0
Social Share

ગાંધીનગરઃરાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સરકાર પણ વધતા જતાં કોરોનાના કેસને લઈને તિંતિત બની છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક  મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ સહીત અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. કોરોના સામે મક્કમતાથી લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં કેબીનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ કોરોના અંગે ચર્ચા કરી છે. રાજ્ય સરકાર કોરોના સામે લડવા માટે તૈયાર છે. રાજ્ય સરકાર કોરોના સંક્રમણ અટકાવવા જરૂરી પગલાં ભરી રહી છે. આ સાથે વાઇબ્રન્ટ સમિટ પણ રદ્દ કરી દેવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,રાજ્યના લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકારે 1000 નવી બસો ખરીદવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ બસો ખરીદવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. આ સાથે 500 સુપર એક્સપ્રેસ બસો ફાળવવાનો નિર્ણય કર્યો છે. 200 સ્લિપર કોચ બસ પણ ફાળવવામાં આવશે.

આ ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડો નવો કોરિડોર બનાવવામાં આવશે. તેમજ ભરૂચમાં નેશનલ હાઇવે 8 પર ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા માટે વધુ એક પુલ બનાવવાનો નિર્ણય કર્યો છે. સુરત ગેસ કાંડ અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, તે ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે સરકાર એલર્ટ છે.

તેમણે ઉમેર્યું હતું કે,  રાજ્યમાં 1600 કિમીનો લાંબો દરિયા કિનારો આવેલો છે. તેને પ્રવાસન સ્થળની સાથે જોડતા એક કોસ્ટલ હાઈવે બનાવવામાં આવશે. આ માટે 2440 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code