હવામાન વિભાગે ચક્રવાત બિપરજોય ને લઈને એલર્ટ જારી કર્યું
- દેશમાં બિપરજોય વાવાઝોડા નું જોખમ
- હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ
દિલ્હીઃ- દેશમાં એક તરફ ઉનાળાની ગરમી પણ પડી રહી છે તો દેશના કેટલાક રાજ્યોમાં બીજી તરફ વરસાદના ઝાપટાઓ અને પવન સાથે વાવાઝોડા ફૂંકાય રહ્યા છે આવી સ્થિતિમાં હવામાન વિભાગે નવા ટક્રવાત બિપરજોયને લઈને ચેતવણી આપી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનું ડીપ પ્રેશર એરિયા હવે ચક્રવાતી તોફાન ‘બિપરજોય’માં ફેરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ એ મંગળવારે એક ચેતવણી જારી કરીને માછીમારોને તેનાથી પ્રભાવિત થઈ શકે તેવા વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે.
દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર સારી રીતે ચિહ્નિત થયેલ ચક્રવાતનું પરિભ્રમણ છેલ્લા 3 કલાક દરમિયાન 11 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યું હતું. હવામાન વિભાગ એ આ સંબંધમાં એક બુલેટિન જારી કરીને જણાવ્યું હતું કે, ‘દક્ષિણ-પૂર્વ અને નજીકના પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનો ઊંડો દબાણ વિસ્તાર ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યો હતો અને ચક્રવાતી તોફાન ‘બિપરજોય’માં ફેરવાઈ ગયો હતો.
વિતેલી સાંજે 5:30 વાગ્યે, તે ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 920 કિમી, મુંબઈથી 1050 કિમી દક્ષિણ-પશ્ચિમ, પોરબંદરથી 1130 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કરાચીથી 1430 કિમી દક્ષિણે સ્થિત હતું.હવામાન વિભાગે ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે પવનની ઝડપ 45-55 kmph થી 65 kmph સુધી પહોંચવાની સંભાવના છે. તેમણે માછીમારોને દરિયામાં ન જવા જણાવ્યું છે.