1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં વરસાદી સીઝનમાં ઝાડા-ઊલટીનો વાવર, ટાઈફોડ અને કમળાના કેસમાં પણ વધારો થયો

અમદાવાદમાં વરસાદી સીઝનમાં ઝાડા-ઊલટીનો વાવર, ટાઈફોડ અને કમળાના કેસમાં પણ વધારો થયો

0
Social Share

અમદાવાદઃ શહેરમાં વરસાદી સીઝનમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરો જાય છે. જેમાં. ઝાડા-ઊલટીના કેસો ગત વર્ષ કરતા બે ગણા વધ્યા છે. દૂષિત પાણીને કારણે ઝાડા-ઊલટી અને પેટમાં દુઃખાવો સહિતના રોગોમાં વધારો થયો છે. ટાઇફોઇડ અને કમળાના રોગો પણ ફરી વધ્યા છે. જૂન મહિનામાં ઝાડા-ઉલ્ટીના 738 જેટલા કેસો નોંધાયા હતા. ખાનગી દવાખાનામાં પણ વાયરલ બીમારીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, જૂન મહિનામાં પાણીજન્ય રોગોમાં ઝાડા-ઊલટીના 738, કમળાના 252 અને ટાઇફોઇડના 209 કેસો નોંધાયા હતા. મચ્છર જન્ય રોગોમાં મેલેરિયાના 77 કેસો, ટાઇફોઇડના 27 અને ચિકનગુનિયાના 10 કેસો નોંધાયા હતા. જ્યારે ઝેરી મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી. પાણીજન્ય રોગોમાં કોઈ એક વિસ્તારમાં નોંધાયા નથી. જ્યાં પાણીની ફરિયાદો આવી છે અને ક્લોરિન નીલ આવ્યું છે ત્યાં પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે.
​​
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી જૂન મહિનામાં પાણીના 2598 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 39 સેમ્પલ અનફીટ જાહેર થયા હતા. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થાય ત્યાં મ્યુનિ. કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવ્યું હતુ. શહેરમાં સામાન્ય વરસાદના ઝાપટાં બાદ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. તેથી દવા છંટકાવ કરવાની સુચના આપી દેવામાં આવી છે.

 

 

 

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code