1. Home
  2. ગુજરાતી
  3. ભારત-અફઘાનિસ્તાન વચ્ચે રમાશે બીજી ટી-20 મેચ, વિરાટ કોહલી ભારતીય ટીમમાં જોડાયો
ભારત-અફઘાનિસ્તાન વચ્ચે રમાશે બીજી ટી-20 મેચ, વિરાટ કોહલી ભારતીય ટીમમાં જોડાયો

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે રમાશે બીજી ટી-20 મેચ, વિરાટ કોહલી ભારતીય ટીમમાં જોડાયો

0
Social Share

ભોપાલઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ ઈન્દોરમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં વિરાટ કોહલી રમ્યો નહોતો. પરંતુ કોહલી બીજી મેચમાં રમશે. તે ઈન્દોર જવા રવાના થઈ ગયો છે. કોહલી અંગત કારણોસર મોહાલીમાં રમાયેલી મેચનો ભાગ નહોતો. કોહલી લાંબા સમય બાદ ભારતની T20માં પરત ફર્યો છે.

X પર કોહલીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આમાં કોહલી એરપોર્ટ પર જોવા મળ્ય હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોહલી મુંબઈથી ઈન્દોર જવા રવાના થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પ્રથમ મેચ દરમિયાન કડકડતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. તે મેચ મોહાલીમાં રમાઈ હતી અને સાંજે 7 વાગ્યે શરૂ થઈ હતી. હવે ઈન્દોરમાં પણ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયાએ મોહાલીમાં 6 વિકેટે જીત મેળવી હતી.
કોહલીએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટી20 મેચ નવેમ્બર 2022માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. આ પછી પણ તે T20 ટીમની બહાર હતો. પરંતુ ટીમને ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા એન્ટ્રી મળી છે. કોહલીની સાથે રોહિત શર્મા પણ લાંબા સમય સુધી બહાર રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ દરમિયાન ઘણા ખેલાડીઓને અજમાવ્યા છે. આમાંથી એક નામ રિંકુ સિંહનું છે. રિંકુ અત્યાર સુધી સફળા મેળવી છે. તે મેનેજમેન્ટ અને પસંદગીકારોના વિશ્વાસ પર ખરા ઉતર્યો છે. ટીમ ઈન્ડિયામાં રિંકુનું સ્થાન લગભગ નિશ્ચિત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code