1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પ્રધાન મંત્રી રાષ્ટ્રીય બાળ પુરષ્કાર 2021 માટે દેહરાદૂનના 16 વર્ષિય વિદ્યાર્થીની પસંદગી
પ્રધાન મંત્રી રાષ્ટ્રીય બાળ પુરષ્કાર 2021 માટે દેહરાદૂનના 16 વર્ષિય વિદ્યાર્થીની પસંદગી

પ્રધાન મંત્રી રાષ્ટ્રીય બાળ પુરષ્કાર 2021 માટે દેહરાદૂનના 16 વર્ષિય વિદ્યાર્થીની પસંદગી

0
Social Share
  • રાષ્ટ્રીય ચિલ્ડ્રન એવોર્ડ વર્ષ 2021માટે દેહરાદૂનના અનુરાગની સપંદગી
  •  25 જાન્યુઆરીએ પીએમ મોદી એવોર્ડ વિજેતાઓ સાથે કરશે સંવાદ

દિલ્હીઃ-દહેરાદૂનના અનુરાગ રમોલાને વડાપ્રધાનના રાષ્ટ્રીય ચિલ્ડ્રન એવોર્ડ વર્ષ 2021 માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમની પસંદગી મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે દ્વારા કરવામાં આવી છે. જે ઉત્તરાખંડનો એકમાત્ર વિદ્યાર્થી છે જેની પસંદગી આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે થઈ છે. 25 જાન્યુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એવોર્ડ વિજેતાઓ સાથે વાતચીત કરશે.

અનુરાગ મૂળ ટિહરીના પ્રતાપનગરનો રેહવસી છે,દર વર્ષે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વિવિધ કેટેગરીમાં અલગ અલગ લાયકાત ધરાવતા બાળકોને વડા પ્રધાનનો રાષ્ટ્રીય ચિલ્ડ્રન એવોર્ડ એનાયત કરે છે. આ એવોર્ડ અંતર્ગત અનુરાગને 1 લાખ રૂપિયા, મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવશે.

દેહરાદૂનના રહેવાસી ૧૬ વર્ષીય અનુરાગ રમોલાના પિતા સી.એસ. રામમોલા મહાનગરપાલિકામાં નોકરી કરે છે. આ એવોર્ડ માટે, કેન્દ્રિય વિદ્યાલયમાં અભ્યાસ કરતા ઓએનજીસીના 10 મા ધોરણના વિદ્યાર્થી અનુરાગને કલા અને સંસ્કૃતિની શ્રેણીમાં પસંદ કરવામાં આવ્યા છે. અનુરાગે નાની ઉંમરે કળા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે

અનુરાગે વીતેલા વર્ષએ દિલ્હીમાં યોજાયેલી પરીક્ષા ચર્ચા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ અનુરાગે પીએમને પણ તેની પેઇન્ટિંગ બતાવી હતી જેની પીએમ મોદીએ પ્રશંસા પણ કરી હતી.

મંત્રાલયના સંયુક્ત સચિવ આસ્થા સકસેના ખટવાનીએ રાજ્યના મહિલા સચિવ અને બાળ વિકાસ સૌજન્યને પત્ર લખી અનુરાગને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે 25 જાન્યુઆરીએ વડા પ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા એવોર્ડ વિજેતાઓ સાથે વાતચીત કરશે. સંબંધિત જિલ્લા કલેકટરને તેની તૈયારી માટેની વ્યવસ્થા કરવા બાબતે જણાવાયું છે.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે બાળકો, વ્યક્તિઓ અને સંસ્થાઓ તરફથી વડા પ્રધાન રાષ્ટ્રીય ચિલ્ડ્રન એવોર્ડ -2121 માટે નામાંકન આમંત્રિત કર્યા હતા. બાળ શક્તિ એવોર્ડ એવા બાળકોને આપવામાં આવે છે કે જેઓ અસાધારણ ક્ષમતાથી સમૃદ્ધ હોય અથવા જેમણે નવીનતા, શિક્ષણ, રમતગમત, કળા અને સંસ્કૃતિ, સમાજ સેવા અને બહાદુરી સહિત વિવિધ ક્ષેત્રોમાં અપવાદરૂપ માન્યતા મેળવી હોય.

 સાહીન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code