1. Home
  2. ગુજરાતી
  3. ડાઇનિંગ ટેબલ પર રાખેલી આ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે છે હાનિકારક ! તેનાથી રહો સાવધાન
ડાઇનિંગ ટેબલ પર રાખેલી આ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે છે હાનિકારક ! તેનાથી રહો સાવધાન

ડાઇનિંગ ટેબલ પર રાખેલી આ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે છે હાનિકારક ! તેનાથી રહો સાવધાન

0
Social Share

બહાર જમવા જાય ત્યારે ડાઇનિંગ ટેબલ પર ઘણી વસ્તુઓ પડી હોય છે. જેમકે,મીઠું,ચટણી,આચાર વગેરે.જેનો ઉપયોગ આપણે ભોજનનો સ્વાદ વધારવા માટે કરીએ છીએ.પરંતુ આ વસ્તુઓ ક્યારેક આપણા સ્વાસ્થ્યને હાનિ પણ પહોંચાડી શકે છે. એટલા માટે એ જરૂરી છે કે તમે આ વસ્તુઓ વિશે જાણતા હોવ અને જો તમારા ડિનર ટેબલ પર આ વસ્તુઓ પડી હોય તો તેને તરત જ ટેબલ પરથી હટાવી દો. અહીં અમે તમને જણાવીશું કે કઈ વસ્તુઓ તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

આજકાલ મોટાભાગના લોકો ખાંડને બદલે આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. જોકે, વર્ષોથી એક ખ્યાલ છે કે જો તમારે વજન ઓછું કરવું હોય અથવા ડાયાબિટીસ, પ્રિડાયાબિટીસ જેવી પરિસ્થિતિઓથી બચવું હોય, તો તમારે ખાંડને કૃત્રિમ ગળપણ સાથે બદલવી જોઈએ. એક અભ્યાસમાં પ્રાણીઓ પર કૃત્રિમ ગળપણ પર સંશોધન કરવામાં આવ્યું હતું. પરિણામ વજનમાં વધારો, મગજની ગાંઠો, મૂત્રાશયનું કેન્સર અને અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંકળાયેલું જોવા મળ્યું હતું.

આપણામાંથી મોટા ભાગના લોકો નાસ્તા દરમિયાન ખોરાક સાથે કેચઅપ અથવા ચટણી લેવાનું પસંદ કરે છે. ઘણીવાર બાળકોને ચટણી અને કેચઅપ ગમે છે. પરંતુ તેમાં ઘણા પ્રકારના કેમિકલ્સ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે જે તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. તેના વધુ પડતા સેવનથી એસિડિટી અને પેટમાં બળતરા થાય છે.

ઘણી વખત ખોરાકમાં જરૂરિયાત મુજબ મીઠું હોય છે, પરંતુ જ્યારે આપણે ટેબલ પર હાજર મીઠું જોઈએ છીએ, ત્યારે આપણે તેને ખોરાકમાં ભેળવી દઈએ છીએ. વધુ પડતા મીઠાના કારણે આપણા શરીરમાં સોડિયમની માત્રા વધી જાય છે. જેથી મીઠું આપણા માટે તદ્દન હાનિકારક સાબિત થઈ શકે છે.શરીરમાં સોડિયમની વધુ માત્રા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. જેના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓ જેવી કે હાર્ટ સ્ટ્રોક થવાની શક્યતા વધી જાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code