1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આમ આદમી પાર્ટીના ડઝન નેતાનો જેલમાંથી છૂટકારો, હવે લડત વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર
આમ આદમી પાર્ટીના ડઝન નેતાનો જેલમાંથી છૂટકારો, હવે લડત વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર

આમ આદમી પાર્ટીના ડઝન નેતાનો જેલમાંથી છૂટકારો, હવે લડત વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર

0
Social Share

અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કૌભાંડ મામલે  ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, નિખિલ સવાણી સહિતના નેતાઓ-કાર્યકર્તાઓની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા 11 દિવસથી જેલમાં રહેલા ‘AAP’ના નેતાઓ અને કાર્યકર્તાઓના જામીન ગાંધીનગર સેશન કોર્ટે મંજૂર કરતાં આજે સવારે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના તમામ 55 નેતાઓ સાબરમતી જેલમાંથી બહાર આવ્યા હતા. જેલમાંથી બહાર આવતા આપના કાર્યકર્તાઓ જેલવાસી નેતાઓનું સ્વાગત કર્યું હતું.

આપના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જેલમાંથી બહાર આવ્યા એનો અમને આનંદ છે. જેલમાં રહીને પણ નવયુવાનો માટે લડતા હતા. આખો દિવસ આ મામલે પણ ચર્ચાઓ કરતા હતા. ગાંધીજીએ પણ સાબરમતી જેલમાં આવીને દેશમાં આંદોલન કર્યા હતા. ગાંધીજીની આત્મકથા અમે જેલમાં રહીને વાંચી છે. ભાજપ સરકારને હું કહેવા માગું છું. પેપર કાંડમાં હજી સુધી મુખ્ય આરોપીઓ ફરાર છે અને હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા નથી. ગુજરાતના નવ યુવાનોના માતા-પિતાને વચન આપીએ છીએ કે અમે નવયુવાનો માટે જેલમાં ગયા છીએ તમે અમને સાથ આપજો અને કોઈ વાતમાં ભરમાશો નહી.

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ભાજપના ભ્રષ્ટાચાર કરવા વાળા મહેલમાં છે અને લડવાવાળા જેલમાં છે. આ લડાઈ અમારી ચાલુ જ રહેશે. ભાજપના મિત્રોને હું કહેવા માગું છું કે અમે જેલથી ડરવાવાળા નથી. જો અમને આવી રીતે 25 દિવસ પણ જેલમાં નાખશો તો અમે ડરીશું નહીં ભાજપના અસિત વોરાનું રાજીનામું નહીં લેવાય ત્યાં સુધી અમે લડતાં રહીશું અને આ જ રીતે ગુપ્ત આયોજન કરી અને લડાઈને ચાલુ રાખીશું.

સાબરમતી જેલમાંથી 12 જેટલા કાર્યકતાઓ મુક્ત થયા છે. જેમનું ઢોલ નગારા અને ફુલહાર પહેરાવી અને સ્વાગત કરવામા આવ્યું હતું.આમ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, પ્રવિણ રામ સહિતના નેતાઓ જેલમાંથી મુક્ત હતા તેમનું  ફુલહાર પહેરાવી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઢોલ-નગારા સાથે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લડેગે જીતેંગે, આમ આદમી પાર્ટી ઝીંદા બાદ સહિતના નારા લગાવીને જોરદાર શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. જેલમુક્ત થયા બાદ આપના નેતાઓ ગાંધી આશ્રમમાં દર્શન કર્યા બાદ મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ ન્યૂ નરોડા ખાતે પહોંચ્યા હતા. જ્યાં બેઠક કરીને આંદોલનની આગામી ચર્ચા અને રણનીતિ ઘડવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code