1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં સાત ઉચ્ચ અધિકારીઓની બદલી
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં સાત ઉચ્ચ અધિકારીઓની બદલી

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં સાત ઉચ્ચ અધિકારીઓની બદલી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં શહેરી ઉપરાંત ગ્રામીણ જનતાને પરિવહનની સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા એસટી બસ દોડાવવામાં આવે છે. દરમિયાન એસટી નિગમના સાત અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેવી શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સેન્‍ટ્રલ ઓફિસના આર.ડી.ગળચરને ખરીદ નિયામક પદેથી મુખ્‍ય તાલીમ અને માનવ સંસાધન વ્‍યવસ્‍થાપક તરીકે, વી.એચ.શર્માને સેન્‍ટ્રલ ઓફિસથી વલસાડ ડિવિઝનમાં ડી.એમ.ઇ. અને ઇન્‍ચાર્જ વિભાગીય નિયામક તરીકે, એ.કે.પરમારને અમદાવાદથી ભાવનગર વિભાગીય નિયામક તરીકે, બી.આર.ડીંડોરને નાયબ મુખ્‍ય યાંત્રિક ઇજનેર સેન્‍ટ્રલ ઓફિસ અમદાવાદ તરીકે, આર.જે.નિર્મળને ભુજ ડેપો મેનેજર તરીકે, એન.કે.ઠક્કરને ભુજ ડિવિઝનના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર તરીકે અને સેન્‍ટ્રલ ઓફિસમાં ફરજ બજાવતા ડી.ટી.જેઠવાને ગોધરા ડી.ટી.ઓ. અને ઇન્‍ચાર્જ વિભાગીય નિયામક તરીકે મુકવામાં આવ્‍યા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code