1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તર પ્રદેશમાં માત્ર નિર્ધારિત સ્થળોએ જ નમાઝ પઢી શકાશે, અત્યાર સુધીમાં 21 હજાર લાઉડસ્પીકર હટાવ્યા
ઉત્તર પ્રદેશમાં માત્ર નિર્ધારિત સ્થળોએ જ નમાઝ પઢી શકાશે, અત્યાર સુધીમાં 21 હજાર લાઉડસ્પીકર હટાવ્યા

ઉત્તર પ્રદેશમાં માત્ર નિર્ધારિત સ્થળોએ જ નમાઝ પઢી શકાશે, અત્યાર સુધીમાં 21 હજાર લાઉડસ્પીકર હટાવ્યા

0
Social Share
  • યુપીમાં રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી
  • માત્ર નિર્ધારિત સ્થળોએ જ નમાઝ પઢી શકાશે
  • અત્યાર સુધીમાં 21 હજાર લાઉડસ્પીકર હટાવ્યા

લખનઉ: ઉત્તર પ્રદેશમાં નમાજ માટે રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.કેન્દ્રીય સુરક્ષા દળો દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શુક્રવારે રાજ્યમાં પૂર્વ નિર્ધારિત સ્થળોએ નમાજ અદા કરી શકાશે. રાજ્ય સરકારના નિયમો અનુસાર, કોઈપણ નવા અથવા જાહેર સ્થળે નમાજની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના બાદ પોલીસ-પ્રશાસનને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.આ સાથે જ સંવેદનશીલ જિલ્લાઓમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે કહેવામાં આવ્યું છે.

માહિતી અનુસાર, રમઝાન મહિનામાં શુક્રવારે રાજ્યમાં પૂર્વ નિર્ધારિત 31,151 સ્થળોએ નમાજ પઢવામાં આવશે.આ માટે રાજ્ય સરકારે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.રાજ્યના ડીજીપી મુકુલ ગોયલે પ્રાર્થના સ્થળો અને અન્ય સંવેદનશીલ સ્થળોની સુરક્ષા માટે 46 કંપની પીએસી અને સાત કંપની સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ તૈનાત કરી છે. DGP હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર, શુક્રવારે નમાજ 19949 મસ્જિદો, 7436 ઇદગાહ અને 2846 અન્ય સ્થળોએ યોજાશે.તેમાંથી 2846 સ્થળોને સંવેદનશીલ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે.આ સાથે 2705 સ્થળોને પણ સંવેદનશીલ ગણવામાં આવ્યા છે અને આ સ્થળો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસ પ્રશાસને પરસ્પર સંવાદ અને સંકલન દ્વારા ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના પર વાતચીતની પ્રક્રિયા ચાલુ રાખી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 29808 ધર્મગુરુઓ સાથે વાતચીત કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 21963 લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code