1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિસનગરના ગણપતપુરા ગામની સીમમાં વીજળી પડતા બેનાં મોત
વિસનગરના ગણપતપુરા ગામની સીમમાં વીજળી પડતા બેનાં મોત

વિસનગરના ગણપતપુરા ગામની સીમમાં વીજળી પડતા બેનાં મોત

0
Social Share

મહેસાણાઃ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે.  વિસનગર તાલુકામાં આવેલા ગણપતપુરા ગામમાં મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો હતો, તે દરમિયાન વિજળી પડતા 2 ના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ગણપતપુરા ગામ ની સીમમાં એક મહિલા અને એક યુવાન પર વીજળી પડતા ઘટના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જોકે બને મૃતકો ને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ લાવામાં આવ્યા હતા

મહેસાણા જિલ્લામાં બપોરેથી વાતાવરણમાં એકાએક પલટો થતા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જોકે આવા વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા ગણપત પુરા ગામમાં દુઃખદ ઘટના ઘટી હતી. જે અંગે મળતી માહિતી પ્રમાણે ગણપતપુરા ગામમાં આવેલી સીમમાં એક મહિલા અને એક યુવાન પર વીજળી પડતા બને ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા સમગ્ર ઘટનામાં મહિલા અને યુવાન સાંજના સમયે ખેતરમાં ઘાસ ચારો લેવા ગયા હતા એ દરમિયાન એકાએક વીજળી પડતા બનેના ઘટના સ્થળે મોત નિપજતા ગામમાં શોકનું મોજું ફળી વળ્યું છે આ ઘટનામાં ઠાકોર સુખીબેન તલાજી અને 17 વર્ષીય ઠાકોર નાગજી રમેશજીનું મોત નિપજ્યું હતું. જોકે સ્થાનિકોને જાણ થતાં વિસનગર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે બાદમાં બને મૃતકોને  પોસ્ટમોર્ટમ અર્થે મહેસાણા સિવિલ ખાતે લઈ જવાયા હતા. ગણપતપુરા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code