1. Home
  2. ગુજરાતી
  3. ઉમેશ પાલ હત્યાકેસઃ અશરફને જેલના કેટલાક કર્મચારીઓ જરુરી સુવિધા પુરી પાડતા હતા
ઉમેશ પાલ હત્યાકેસઃ અશરફને જેલના કેટલાક કર્મચારીઓ જરુરી સુવિધા પુરી પાડતા હતા

ઉમેશ પાલ હત્યાકેસઃ અશરફને જેલના કેટલાક કર્મચારીઓ જરુરી સુવિધા પુરી પાડતા હતા

0

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચકચારી ઉમેશ પાલ હત્યા કેસમાં રોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થયાં છે. અમદાવાદની સાબરમતી જેલમાં બંધ કુખ્યાત અતિક અને બરેલી જેલમાં બંધ તેનો ભાઈ અશરફે સમગ્ર કાવતરુ ઘડ્યું હતું. આ પ્રકરણમાં બરેલી જેલના કેટલાક કર્મચારીઓની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. જેલના કેટલાક કર્મચારીઓ અશરફને જેલ સંકુલમાં જ તેના સાગરિતો સાથે મુલાકાત કરાવતો હતો.

કોન્સ્ટેબલ શિવહરી બરેલી જેલના અધિકારીઓની પરવાનગી પર માફિયા અતીક અહેમદના ભાઈ અશરફ સાથે મુલાકાતીઓને મળવા દેતો હતો. આ મીટીંગો જેલ પરિસરના મલ્ટીપર્પઝ હોલની સામેના ગોડાઉનમાં થતી હતી. જેલ અધિકારીઓના નિવેદનમાં ખુલાસો થયો છે કે, શિવહરી અને મનોજ ગૌર શંકાસ્પદ સ્વભાવના હતા અને તેઓ ગુનેગારો સાથે સાંઠગાંઠ ધરાવતા હતા. તપાસમાં કેટલાક નવા લોકોના નામ પણ સામે આવ્યા છે જેઓ જેલમાં અશરફને મળવા આવ્યા હતા. હવે નવાઈની વાત એ છે કે, આ ગેરકાયદે બેઠકો રોકવા માટે જેલ અધિકારીઓ સામે કેસ નોંધવાને બદલે માત્ર સસ્પેન્ડ અને ખાતાકીય કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે.

જેલમાં બંધ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ શિવહરીએ ડીઆઈજી સમક્ષ નિવેદન આપ્યું હતું કે, જેલર રાજીવ મિશ્રા અને ડેપ્યુટી જેલર દુર્ગેશ પ્રતાપ સિંહના નિર્દેશ પર મુલાકાતીઓને અશરફ સાથે મળવા દેતો હતો. અધિકારીઓની સૂચના પર જ અશરફને મળવા આવતા મુલાકાતીઓની આઈડી રજુ કરતો હતો. ત્રણ-ચાર આઈડી પર 6-7 લોકોને ગોડાઉનમાં મુલાકાત કરાવી હતી. જેલના તમામ અધિકારીઓને આ વાતની જાણ હતી. મુલાકાતીઓને સદ્દામ અને લલ્લા ગદ્દી દ્વારા લાવવામાં આવ્યા હતા, તેમને જેલના અધિકારીઓ પહેલેથી જ ઓળખતા હતા. લલ્લા ગદ્દી અગાઉ બરેલી જેલમાં કેદ હતો.

બીજી તરફ, શિવહરી સાથે ધરપકડ કરાયેલા શાકભાજી વેચનાર દયારામે નિવેદન આપ્યું હતું કે, તેણે ક્યારેય અશરફને જોયો પણ નથી. જેલની બહાર દુકાન ચલાવતા વિકી અને જેલના વોર્ડર રામનારાયણે મને અશરફના સાળા સદ્દામ સાથે પરિચય કરાવ્યો હતો. સદ્દામ અશરફ માટે બિલાડીનો ખોરાક, નાસ્તો, બિસ્કિટ, પાન વગેરે લાવતો હતો, જેને કેન્ટીનની વસ્તુઓ સાથે જેલની અંદર મોકલવામાં આવતો હતો. હું આ વસ્તુઓ લેંબરદાર લાલા રામને આપતો હતો. બીજી તરફ, લાલારામે પોતાના નિવેદનમાં અશરફને સામાન પહોંચાડ્યાની કબૂલાત કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code