1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, શુક્રવારે વિકાસકામોનું લોકાર્પણ કરશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, શુક્રવારે વિકાસકામોનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, શુક્રવારે વિકાસકામોનું લોકાર્પણ કરશે

0
Social Share

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગૃહપ્રધાન આવતીકાલે શુક્રવારે ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત લેશે તેમજ મહિલા સ્વસહાય જૂથ ટી સ્ટોલનું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત  સઇઝ સ્વામિનારાયણ ગુરુકુલમાં ઓક્સિજન પ્લાન્ટ તથા શાળા સંકુલનું શાહના હસ્તે લોકાર્પણ કરાશે. તથા પાનસર તળાવને કરાયેલા બ્યુટિફિકેશ સ્થળની મુલાકાત લેશે અને પાનસર PHC સેન્ટરનું પણ લોકાર્પણ કરશે. આ સાથે શાહ પાનસર જૈન મંદિર પાસે સભાને સંબોધિત કરશે. ઉપરાંત કલોલ તાલુકાના વિકાસના કામોનું લોકાર્પણ કરશે.ત્યારબાદ અમિક શાહ માણસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. તેમજ  શાહ માણસામાં પરિવારજનો સાથે નવરાત્રિની આરતીમાં હાજરી આપશે.

ભાજપના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ આજે મોડી રાત્રે અથવા શુક્રવારે સવારે ગુજરાતની મુલાકાતે આવશે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં જીત બાદ પ્રથમવાર અમિત શાહ ગુજરાત આવી રહ્યાં છે. આવતીકાલે  8 ઓક્ટોબરે કલોલના કાર્યક્રમમાં શાહ હાજરી આપશે. બીજા નોરતે અમિત શાહ માસણા ખાતે માતાના દર્શને જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં યોજાયેલી ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન, ઉત્તર ગુજરાતની થરા નગરપાલિકા તથા સૌરાષ્ટ્રની ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ઝળહળતી સફળતા સાંપડી હતી.તેથી ગુજરાત ભાજપને બિરદાવવામાં આવશે.

 

 

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code