1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 28મી મેના રોજ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 28મી મેના રોજ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 28મી મેના રોજ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે

0
Social Share

અમદાવાદઃ  કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 28 અને 29 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર સંમેલન તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેશે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 28મીના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેઓ પણ સહકાર સંમેલનમાં હાજરી આપવાના છે. આમ સહકાર સંમેલનમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એકસાથે હાજરી આપશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં સહકારી સંસ્થાઓના ભાજપના હોદ્દેદારોને એક છત્ર હેઠળ લાવીને 28મી મેએ ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં ખાતે મહાસંમેલનમાં યોજાશે. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને ઉપસ્થિત હશે. આમ લાંબા સમય બાદ બંને નેતાઓ ફરી એકસાથે સ્ટેજ પર જોવા મળશે. સંમેલનમાં ગુજરાતની તમામ નાની-મોટી સહકારી સંસ્થાના ભાજપના ડિરેક્ટર્સને હાજર રહેવા આમંત્રણ અપાયું છે. આઝાદી પછી પહેલીવાર ગુજરાતમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં સહકારી સંસ્થાઓનું મહાસંમેલન યોજવામાં આવી રહ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિક શાહ પોતાના હોમ સ્ટેટમાં આવી રહ્યા છે. ત્યારે તૈયાર થયેલા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત ગૃહમંત્રીના હસ્તે કરાવવા માટે ભાજપે પણ કવાયત શરૂ કરી દીધી છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 29મી મેના રોજ સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિશ્વકક્ષાના બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. કેન્દ્રથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે, જેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આગામી 28મે શનિવારના રોજ વડાપ્રધાન  મોદી સવારે ગાંધીનગરમાં સહકાર સંમેલનને સંબોધશે. ત્યાર બાદ સાંજે તેઓ આટકોટની મુલાકાતે જશે. જ્યાં અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. પાટીદાર ટ્રસ્ટ દ્વારા બનાવાયેલી 200 બેડની કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલને ખુલ્લી મુકશે. ઉપરાંત પીએમ મોદી બે લાખથી વધુ જનસભાને સંબોધન કરશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code