કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલની કારને અકસ્માત નડતા પગમાં સામાન્ય ઈજા આવી, એક શિક્ષકનું મોત
ભોપાલઃ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલની કારનો અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના સ્ટાર પ્રચારક અને નરસિંહપુરથી ભાજપના ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ રોડ અકસ્માતમાં ઘાયલ થયા છે જણાવવામાં આવી રહ્યું છે કે છિંદવાડાથી નરસિંહપુર આવતી વખતે અમરવાડા પાસે આ અકસ્માત થયો હતો.
જાણકારી મુજબ રોંગ સાઇડથી આવી રહેલા મોટરસાઇકલ સવારો સાથે તેમનું વાહન અથડાયું હતું. આ દુર્ઘટનામાં અન્ય ચારથી પાંચ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પ્રહલાદ પટેલને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે છેકેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલની કારે બાઇક સવારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિ અને ત્રણ શાળાના બાળકો ઘાયલ થયા હતા.
પ્રહલાદ પટેલ છિંદવાડાથી જનસંપર્ક કાર્યક્રમ પતાવીને નરસિંહપુર પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. બીજી તરપ ખાનગી શાળામાંથી બાળકો સાથે પરત ફરી રહેલા શિક્ષકની બાઇકને સિંગોડી બાયપાસ પાસે તેમની કારે ટક્કર મારી હતી અને જોરદાર અકસ્માત સર્જાયો હતો.
જો કે આ અકસ્માતમાં બાઇક સવાર નિરંજન ચંદ્રવંશી (ભુરા મોહગાંવ) કે જેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે તેની સાથે બેઠેલા ત્રણ બાળકોને પણ ઇજા પહોંચી હતી.તાત્કાલીક કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે અન્ય સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. જિલ્લા હોસ્પિટલમાં બાઇક પર સવાર શિક્ષકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
અકસ્માતની આ ઘટનામાં ઘાયલ ત્રણ બાળકોને જિલ્લા હોસ્પિટલમાંથી નાગપુર રિફર કરવામાં આવ્યા છે. ઘાયલોમાં સાત વર્ષ, આઠ વર્ષ અને 17 વર્ષને બાળકો નો સમાવેશ થઈ છે જેમાંથી એક બાળક ગંભી રીતે ઘાયલ થયો છે