Homeગુજરાતીસંયુકત રાષ્ટ્ર પ્રમુખ ગુતારેસ ભારતની બે દિવસીય મુલાકાત દરમિયાન મોદી-જયશંકર સાથે મુલાકાત...

સંયુકત રાષ્ટ્ર પ્રમુખ ગુતારેસ ભારતની બે દિવસીય મુલાકાત દરમિયાન મોદી-જયશંકર સાથે મુલાકાત કરશે

દિલ્હી:સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસ તેમની બે દિવસીય ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. ગુતારેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે,ગુતારેસ 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી ભારતમાં રહેશે અને તેઓ ભારત અને સંયુક્ત રાષ્ટ્ર વચ્ચેની ભાગીદારી પર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.પ્રવક્તાએ કહ્યું કે તે ‘લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ મિશન’માં પણ ભાગ લેશે.

ગુતારેસ ગુજરાતના મોઢેરામાં એક પ્રોજેક્ટ સાઇટની પણ મુલાકાત લેશે, જેને તાજેતરમાં ભારતનું પ્રથમ સૌર ઉર્જા સંચાલિત ગામ જાહેર કરવામાં આવ્યું છે.મહાસચિવ ત્યારબાદ વિયેતનામ જવા રવાના થશે, જ્યાં તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં વિયેતનામના સભ્યપદની 45મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા સમારોહમાં હાજરી આપશે.એક પાકિસ્તાની પત્રકારે પ્રશ્ન કર્યો કે શું ગુતારેસ કાશ્મીરની સ્થિતિ પર ભારતીય નેતાઓ સાથે ચર્ચા કરશે.

તેના જવાબમાં, દુજારિકે કહ્યું કે તેઓ “વાસ્તવમાં શું થયું તે અંગે માહિતી પ્રદાન કરવાની રાહ જોશે.”ત્યારબાદ અમે તેના પર વાત કરીશું કે,શું કહેવામાં આવ્યું અને શું કહી શકાય છે.સંયુકત રાષ્ટ્ર મહાસચિવના રૂપમાં બીજા કાર્યકાળમાં ગુતારેસની આ પહેલી યાત્રા હશે.તેમનો બીજો કાર્યકાળ આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયો હતો.તેઓ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન 1 થી 4 ઓક્ટોબર દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા હતા.

નવી દિલ્હીમાં બહાર પાડવામાં આવેલા વિદેશ મંત્રાલયના એક નિવેદન અનુસાર, યુએનના મહાસચિવ પોતાની યાત્રાની શરૂઆત મુંબઈમાં તાજમહેલ પેલેસ હોટેલ પર 26/11ના આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીને કરશે. ‘મિશન લાઇફ’ની પુસ્તિકા, શુભકર તથા ટેગલાઇનની શરૂઆત કરીને કાર્યક્રમમાં સામેલ થશે.નોંધનીય છે કે નવેમ્બર 2021માં ગ્લાસગોમાં COP26 દરમિયાન વડાપ્રધાન મોદીએ જીવનનો ખ્યાલ રજૂ કર્યો હતો.આ અભિયાનનું વિઝન એવી જીવનશૈલી જીવવાનું છે જે આપણા ગ્રહ સાથે સુસંગત હોય અને તેને નુકસાન ન પહોંચાડે.

 

સંબંધિત લેખો

Most Popular