1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશ વિધાનસભાઃ ભાજપના આ પાંચ મુદ્દા એસપી સહિતના વિપક્ષને ભારે પડશે ?
ઉત્તરપ્રદેશ વિધાનસભાઃ ભાજપના આ પાંચ મુદ્દા એસપી સહિતના વિપક્ષને ભારે પડશે ?

ઉત્તરપ્રદેશ વિધાનસભાઃ ભાજપના આ પાંચ મુદ્દા એસપી સહિતના વિપક્ષને ભારે પડશે ?

0
Social Share

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. તેમજ આગામી 10મી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. વિવિધ એક્ઝિટ પોલમાં ઉત્તરપ્રદેશમાં ફરીથી ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. જો કે, ભાજપને 200થી 250 જેટલી બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે સમાજવાદી પાર્ટીને 100થી 150 જેટલી બેઠકો મળવાનો અંદાજ લગાવાઈ રહ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ દ્વારા કાયદો અને વ્યવસ્થા અને હિન્દુત્વ સહિતના મુદ્દા ઉપર કરવામાં આવેલા પ્રચારને કારણે સમાજવાદી પાર્ટી સહિતના વિપક્ષને ભારે પડી રહ્યાંનું મનાઈ રહ્યું છે.

રાજકીય પંડિતોના મતે, ઉત્તરપ્રદેશની જનતાએ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વધારે મહત્વ આપીને મતદાન કર્યાનું લાગી રહ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી, અમિત શાહ અને સીએમ યોગી સહિતના નેતાઓએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાંથી માફિયા રાજને ખતમ કરવામાં આવ્યું છે. તેમજ ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવાની સાથે તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે. મતદારોએ મતદાન વખતે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યાનું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલો વિકાસ પણ મતદારોને મતદાન કરવા માટે મતદાને કેન્દ્ર તરફ ખેંચી ગયાનું મનાઈ રહ્યું છે. એક્ઝિટ પોલ અનુસાર 27 ટકા લોકોએ વિકાસને ધ્યાનમાં રાખીને ભાજપ તરફી મતદાન કર્યાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત મફતમાં રાજનની યોજના મારફતે મતદારોને આકર્ષવામાં ભાજપ સરકાર સફળ રહ્યાનું લાગી રહ્યું છે. ગરીબોને અનાજ આપવાની સાથે ઘર પણ આપવામાં આવ્યા હોવાથી આ મુદ્દાને પણ મતદારોએ ધ્યાનમાં રાખ્યો હતો.

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપનો મુખ્ય ચહેરો પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથ રહ્યાં હતા. 8 ટકા લોકોએ માત્ર મોદીના નામે જ ભાજપને વોટ આપ્યો હોવાનું રાજકીય પડિતો માની રહ્યાં છે. અખિલેશ, માયાવતી અને પ્રિયંકા ગાંધીની સરખામણીમાં પીએમ મોદી અને સીએમ યોગીને ધ્યાનમાં રાખીને અનેક મતદારોએ ભાજપ તરફી મતદાન કર્યાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપ દ્વારા કાયદો વ્યવસ્થા, મફત રાશન સહિતના મુદ્દાઓ સાથે રાષ્ટ્રવાદ અને હિન્દુત્વના મુદ્દે પણ જોરશોરથી પ્રચાર કર્યો હતો. આમ ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થા, વિકાસ, ફ્રીમાં અનાજ અને પીએમ મોદી તથા સીએમ યોગીનો ચહેરો તથા રાષ્ટ્રવાદ-હિન્દુત્વના એજન્ટા સામે વિપક્ષને મોટી સંખ્યામાં મતદારોને પોતાની તરફ આકર્ષવામાં નિષ્ફળ રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code