1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંકલેશ્વર જીઆઈડીસીમાં એક કંપનીની દિવાલ ધરાશાયી થતા 4 શ્રમજીવીના મોત
અંકલેશ્વર જીઆઈડીસીમાં એક કંપનીની દિવાલ ધરાશાયી થતા 4 શ્રમજીવીના મોત

અંકલેશ્વર જીઆઈડીસીમાં એક કંપનીની દિવાલ ધરાશાયી થતા 4 શ્રમજીવીના મોત

0
Social Share

અમદાવાદઃ ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એક કંપનીની દિવાસ અચાનક ધરાશાયી થતા 4 શ્રમજીવીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. અહીં બાંધકામનું કામ ચાલતુ હતું ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં દીવાલ ધરાશયી થતા દોડધામ મચી ગઈ હતી. જેમાં કન્સ્ટ્રકશનનું કામ કરતા 4 જેટલા કામદારોને ઈજા થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 4 વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. મહત્વનુ છે કે ઇજાગ્રતોને સારવાર હેઠળ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે . કંપનીમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન સર્જાઈ દુર્ઘટના સર્જાઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગાસ્કેટમાંથી ગેસ લીક થતા કંપનીની પાછળ ચાલી રહેલા અન્ય કંપનીના કન્સ્ટ્રકશનનું કામ કરતા 6 જેટલા કામદારોને અસર થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગેસ લિકેજથી કામદારોમાં દોડધામ મચી ગઇ હતી.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code