1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના જળાશયોમાં 80 ટકા પાણીનો સંગ્રહઃ 53 જળાશયો સંપૂર્ણ છલકાયાં
ગુજરાતના જળાશયોમાં 80 ટકા પાણીનો સંગ્રહઃ 53 જળાશયો સંપૂર્ણ છલકાયાં

ગુજરાતના જળાશયોમાં 80 ટકા પાણીનો સંગ્રહઃ 53 જળાશયો સંપૂર્ણ છલકાયાં

0
Social Share
  • સરદાર સરોવરમાં 88 ટકાથી વધુ જળસંગ્રહ
  • 64 જળાશયો 70 ટકાથી વધુ ભરાયાં

અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 80 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જયારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2.97 લાખ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 88.87 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયોમાં 4.14 લાખ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 74.19 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજ્યમાં 53 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

સરદાર સરોવર સહીત 64 જળાશયોમાં 70થી 100 ટકા, 31 જળાશયોમાં 50થી 70 ટકા, 29 જળાશયોમાં 25થી 50 ટકા અને 29 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 52 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 32 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ગુજરાતમાં સારા વરસાદના પગલે જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. જેથી જળસંગ્રહમાં વધારો થવાની શકયતા છે. બીજી તરફ રાજ્યમાં સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. ચાલુ વર્ષે કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકનું મોટાપાયે વાવેતર થયું છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code