1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. યુપી બોર્ડની પરીક્ષા આગામી આદેશ સુધી સ્થગિત, 15 મે સુધી 1 થી 12 ની સ્કૂલો રહેશે બંધ

યુપી બોર્ડની પરીક્ષા આગામી આદેશ સુધી સ્થગિત, 15 મે સુધી 1 થી 12 ની સ્કૂલો રહેશે બંધ

0
Social Share
  • યોગી સરકારનો મોટો નિર્ણય
  • બોર્ડની પરીક્ષાને લઈને નિર્ણય
  • આગામી આદેશ સુધી મુલતવી

નવી દિલ્હી: યોગી સરકારે યુપી બોર્ડની પરીક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશ બોર્ડની પરીક્ષાઓ આગામી આદેશો સુધી મુલતવી રાખવામાં આવી છે. આ સાથે 15 મે સુધી 1 થી 12 ની સ્કૂલો બંધ રાખવામાં આવી છે.

સરકારે કહ્યું કે, મે મહિનામાં પરીક્ષાની નવી તારીખો પર વિચાર કરવામાં આવશે. આંકડા પર જઈએ તો, યુપીમાં કોરોનાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર 24 કલાકમાં યુપીમાં 22,439 નવા કેસ સામે આવ્યા છે. તો,લખનઉમાં ફક્ત 5,183 નવા કેસ મળી આવ્યા છે.

જો કે પરીક્ષા 8 એપ્રિલે શરૂ થવાની હતી. 10 માં ધોરણની પરીક્ષા 25 મે ના રોજ સમાપ્ત થવાની હતી.જયારે 12 ની પરીક્ષા 28 મે ના રોજ સમાપ્ત થવાની હતી.પરંતુ હવે પરિસ્થિતિ સમીક્ષા કર્યા બાદ બોર્ડ નવું ટાઇમ ટેબલ જાહેર કરશે.

યુપી બોર્ડ પહેલા સીબીએસઈ,છત્તીસગઢ બોર્ડ,પંજાબ બોર્ડ,રાજસ્થાન બોર્ડ,મહારાષ્ટ્ર બોર્ડ, એમપી બોર્ડ અને ગુજરાત બોર્ડે પણ 10 મી અને 12 ની પરીક્ષાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી છે.

(દેવાંશી)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code