1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શુ કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે? રાજસ્થાનના 2 જિલ્લામાં 600 બાળકો સંક્રમિત
શુ કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે? રાજસ્થાનના 2 જિલ્લામાં 600 બાળકો સંક્રમિત

શુ કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે? રાજસ્થાનના 2 જિલ્લામાં 600 બાળકો સંક્રમિત

0
Social Share

જયપુર: દેશમાં ભલે હાલ કોરોનાવાયરસની બીજી લહેર શાંત પડી હોય, પણ જોખમ તો હજુ પણ તમામ લોકોના માથે ફરી રહ્યુ છે. આજે પણ દેશમાં સરેરાશ 3થી 3.5 હજાર લોકો કોરોનાથી મૃત્યુ પામી રહ્યા છે અને આવા સમયમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે તમામ લોકોની ચીંતા ઉભી કરશે.

વાત એવી છે કે રાજસ્થાનના બે જિલ્લામાં 600થી વધુ બાળકો કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે. જાણકારો અને કેટલાક હેલ્થ એક્સપર્ટ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કોરોનાની ત્રીજી લહેર વધુ હેરાન કરી શકે છે અને ત્રીજી લહેરમાં સૌથી વધારે અસર બાળકો પર પડી શકે છે. રાજસ્થાનના દૌસા અને ડુંગરપુર ખાતે બાળકોમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસ ચિંતાજનક છે.

રાજસ્થાનના 2 જિલ્લામાં બાળકો ખૂબ જ ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે. રાજસ્થાનમાં બાળકો કોરોના મહામારીની લપેટમાં આવવા લાગ્યા છે. ત્રીજી લહેર અંગે જે પ્રકારની આશંકાઓ સેવાઈ રહી હતી તેમ જ બની રહ્યું છે. હવે બાળકો પણ કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે.

સ્વાસ્થ્ય વિભાગના અહેવાલ પ્રમાણે દૌસા ખાતે 1 મેથી 21 મે દરમિયાન 18 વર્ષથી ઓછી ઉંમરના 341 બાળકો કોવિડ પોઝિટિવ આવ્યા છે. ડુંગરપુર ખાતે પણ આવી જ સ્થિતિ છે. ડુંગરપુર ખાતે 12 મેથી 22 મે સુધીમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 255 બાળકો સંક્રમિત થયા છે.

ડુંગરપુરના કલેક્ટર સુરેશ કુમાર ઓલાના કહેવા પ્રમાણે તેમના જિલ્લામાં બાળકોમાં કોરોના સંક્રમણ ખૂબ જ સામાન્ય છે. બાળકોના માતા-પિતા કોરોના પોઝિટિવ આવી રહ્યા છે માટે બાળકો પણ સંક્રમિત થયા છે.

ઉલ્લેખનીય વાત એ છે કે વિશ્વના ટોચના સલાહકારો અને જાણકારો કહી રહ્યા છે કે કોરોનાથી બચવા માટે વેક્સિનેશન એક જ રસ્તો છે અને વેક્સિનનું ઉત્પાદન કોઈ પણ સંજોગોમાં વધારવુ જ પડશે. કોરોનાથી બચવા માટે તકેદારી રાખવી તે પણ સૌથી વધારે કારગર છે તેવુ પણ જાણકારો દ્વારા કહેવામાં આવ્યુ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code