1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શાળાઓમાં આરટીઈ અંતર્ગત ધો.1માં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો સોમવારે છેલ્લો દિવસ
શાળાઓમાં આરટીઈ અંતર્ગત ધો.1માં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો સોમવારે છેલ્લો દિવસ

શાળાઓમાં આરટીઈ અંતર્ગત ધો.1માં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો સોમવારે છેલ્લો દિવસ

0
Social Share

અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે બીજા રાઉન્ડની જાહેરાત બાદ વાલીઓને 6 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે સુચના આપવામાં આવી હતી. જોકે,  આવતી કાલ સોમવાર પ્રવેશ કન્ફર્મ કરવાનો છેલ્લો દિવસ હોવાથી  અનેક વાલીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા ન હોઈ અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા વાલીઓને 6 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવી લેવા માટે તાકીદ કરી છે. અન્યથા તે બેઠક પર પ્રવેશ રદ ગણવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડના અંતે ખાલી પડેલી બેઠકો માટે વિભાગ દ્વારા બીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં તાજેતરમાં બીજા રાઉન્ડમાં 6 હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો તેમને 6 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે સૂચના આપવામાં આવી હતી   હવે 6 સપ્ટેમ્બરના આડે માંડ બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓએ હજુ સુધી પ્રવેશ કન્ફર્મ કરાવ્યા ન હોવાનું જાણવા મળે છે. જેના પગલે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા વાલીઓને 6 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવી લેવા માટે તાકીદ કરી છે. મુદત પૂર્ણ થયા બાદ જે વાલીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા નહીં હોય તે બેઠકો ખાલી ગણવામાં આવશે અને વિદ્યાર્થીઓને પ્રવેશનો હક જતો રહેશે.

બીજા રાઉન્ડની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠકો માટે ત્રીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ થાય તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં બીજા રાઉન્ડની જાહેરાત વખતે જ 12 હજાર બેઠકો ખાલી પડી હતી અને જે વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ નહીં થાય તે મળી ખાલી પડેલી બેઠકો માટે ત્રીજો રાઉન્ડ યોજાય તેવી શક્યતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code