Homeગુજરાતીઓમિક્રોનથી ગભરાશો નહીં,પણ સતર્ક અને સલામત રહેવું જરૂરી – એક રિસર્ચમાં કરવામાં...

ઓમિક્રોનથી ગભરાશો નહીં,પણ સતર્ક અને સલામત રહેવું જરૂરી – એક રિસર્ચમાં કરવામાં આવ્યા દાવા

  • અમેરિકાના રિસર્ચમાં થયો ખુલાસો
  • વેક્સિન લેનારા લોકોમાં ઈમ્યુનિટી વધારે
  • એન્ટીબોડીનું સ્તર 2000 ટકા વધ્યું

દિલ્હી: ઓમિક્રોનને લઈને મોટાભાગના દેશો ચિંતામાં છે કારણ કે તેનાથી સંક્રમણ ખુબ વધારે ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઓમિક્રોનને લઈને અત્યાર સુધીમાં અનેક પ્રકારના રિસર્ચ કરવામાં આવ્યા છે અને હવે અમેરિકાની સંસ્થા દ્વારા વધારે એક રિસર્ચ કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે વેક્સિન લીધા બાદ પોઝિટીવ થનાર લોકોમાં સુપર ઈમ્યુનિટી છે. આ સાથે એન્ટીબોડીનું સ્તર 2000 ટકા વધી રહ્યું છે.

અમેરિકાના ઓરેગાંવ હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીમાં 26 લોકો પર થયેલા સ્ટડીમાં આ તારણ સામે આવ્યાં છે. આ લોકોને કોરોનાની રસી મળી હતી અને તેમને ક્યારેય કોરોના વાયરસનો ચેપ લાગ્યો નથી. આ જૂથમાં એન્ટિબોડીનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું. લેખક ફિકાડુ ટેફેસે કહ્યું, ‘આ લોકોમાં એન્ટિબોડીઝનું સ્તર ઘણું ઊંચું હતું. તેમાં 1000 ટકાનો વધારો થયો છે જે ક્યારેક 2000 ટકા સુધી વધી ગયો છે. તેથી તેની રોગપ્રતિકારક શક્તિ ઘણી છે.

રિસર્ચર ફિકાડુએ કહ્યું, ‘તે લગભગ સુપર ઇમ્યુનિટી છે.’ આ સંશોધન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારત, અમેરિકા અને સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિઅન્ટના કારણે ચેપ ખૂબ જ વધી રહ્યો છે. શુક્રવારની સરખામણીમાં શનિવારે યુ.એસ.માં ઓમિક્રોનના કેસ બમણા થયા. દરમિયાન, કોલંબિયા યુનિવર્સિટીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે દર્દીઓને Pfizer અથવા Moderna તરફથી બૂસ્ટર શોટ આપવામાં આવ્યા હતા તેઓ મૂળ કોરોનાવાયરસ કરતાં ઓમિક્રોન સામે 6.5 ગણા ઓછા એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે.

સંબંધિત લેખો

Most Popular