
દિલ્હીના ટ્વિન ટાવરનો અંત આવ્યો માત્ર 8 સેકન્ડમાં,ચારેતરફ સિમેન્ટના ગોટા ઉડ્યા- હવે વાહનો માટે રસ્તો ખુલ્લો મૂકાયો
- દિલ્હીના ટ્વિટન ટાવર 8 સેકેન્ડમાં થયો ઘધરાશયી
- ચારે તરફ પ્રદુષણ જોવા મળ્યું
- પ્રદુષણ બાદ રસ્તાઓ પર પાણી છાંટવામાં આવ્યું
- સામાન્ય લોકો માટે અવર જવર ચાલ કરાઈ
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી દિલ્હીના ટ્વિન ટાવર ચર્ચાનો વિષ્ય હતો, ત્યારે આજરોજ આ ટ્વિન ટાવરનો છેવટે અંત આવ્યો છે, માત્ર 8 જ સેકેન્ડમાં બ્નને ટાવર જમીનદોસ્ત થયા છે, સોસિયલ મીડિયા આ બિલ્ડિંગ પડવાનો વીડિયો સતત વાયરલ થઈ રહ્યો છ.સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર, સેક્ટર-93A સ્થિત સુપરટેક એમેરાલ્ડ કોર્ટના ટ્વિન ટાવરને બ્લાસ્ટ બાદ તોડી પાડવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે આ ટાવર તોડતા પહેલા અહી તથા આસપાસની તમામ અવર જવર રોકી દેવામાં આવી હતી, વિજળીમાં કાપ મૂકવામાં આવ્યો હતો જો કે ટ્વિન ટાવર તોડી પાડ્યા બાદ સ્થિતિને સામાન્ય કરી દેવાઈ છે. નોઇડા-ગ્રેટર નોઇડા હાઇવે સામાન્ય લોકો માટે 2:42 વાગ્યે ખોલવામાં આવ્યો હતો. આ સાથે જ ટાવર પાડકતા સમયે જે સિમેન્ટ ઉડી હતી તેના પર હવે પાણી છાંટવામાં આવી રહ્યું છે.
ઇમારત ધરાશાયી થવાને કારણે હવામાં જાણે ધૂળના ગોળ ગોળ ગોટા ઉડતા દેખાયા હતા આ ટાવરને તોડવા લગભગ 9640 છિદ્રોમાં 3700 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ટાવરને જમીન દોસ્ત કરતા પહેલા અનેક સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું પોલીસથી લઈને એનડીઆરએફ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે હાજર છે. તે જ સમયે, પાણીના ટેન્કરો ઉપલબ્ધ છે જેમાંથી વાયુ પ્રદૂષણ અટકાવવા માટે પાણીનો છંટકાવ સતત કરવામાં આવી રહ્યો છે.આ સાથે જ એન્ટી સ્મોગ ગન પણ લગાવવામાં આવી છે જેને લઈને પ્રદુષણને ઓછુ કરી શકા