1. Home
  2. ગુજરાતી
  3. મમતા બેનર્જી 5 ડિસેમ્બરે PM મોદીને મળી શકે છે,આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
મમતા બેનર્જી 5 ડિસેમ્બરે PM મોદીને મળી શકે છે,આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

મમતા બેનર્જી 5 ડિસેમ્બરે PM મોદીને મળી શકે છે,આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

0
Social Share

કોલકતા:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 5 ડિસેમ્બરે નવી દિલ્હીમાં મુખ્યમંત્રીઓની બેઠક દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને મળે તેવી શક્યતા છે.એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે,સંભવિત બેઠકમાં મમતા કેન્દ્ર પર રાજ્યના લેણાં મુક્ત કરવા દબાણ કરી શકે છે.આ સિવાય તે ફરક્કા બેરેજમાં અને તેની આસપાસ થઈ રહેલા ધોવાણનો મુદ્દો પણ ઉઠાવી શકે છે.

હકીકતમાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય રાજધાનીમાં મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી કારણ કે ભારત 2023 માં G-20 સમિટનું આયોજન કરશે.દરમિયાન, એવા સમાચાર છે કે,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 5 ડિસેમ્બરે નવી દિલ્હીમાં મુખ્યમંત્રીઓની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીને મળવાની સંભાવના છે.

એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું હતું કે,બંગાળમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમના અમલીકરણ માટેના બાકી લેણાંનો મુદ્દો પણ મુખ્યમંત્રી બેઠકમાં ઉઠાવે તેવી અપેક્ષા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code