1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થતાં બીજા તબક્કાની પરીક્ષાનો 17મીથી પ્રારંભ
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થતાં બીજા તબક્કાની પરીક્ષાનો 17મીથી પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થતાં બીજા તબક્કાની પરીક્ષાનો 17મીથી પ્રારંભ

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ તુરંત બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે. આગામી 17 એપ્રિલથી સેમેસ્ટર 2 અને 4 ની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં 119 પરીક્ષા કેન્દ્રો પરથી 45,470 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં બીએ-બી.કોમ સહીત 15 કોર્ષના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. યુનિ દ્વારા આ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની શાળા-કોલેજોમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ તબક્કાની પરીક્ષા હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. એટલે તા. 17મી એપ્રિલથી સેમેસ્ટર 2 અને 4ના વિવિધ કોર્ષની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષા સવારે 10.30 થી 1 અને બપોરે 2.30 થી 5 એમ બે શેસનમાં લેવામાં આવશે જેમાં સેમ.4 માં બી.કોમ.માં 18,956, બી.એ.માં 14,470, બી.સી.એ માં 4488, બી.બી.એ.માં 3292, બી.એસ.સી માં 2800, બી.એસ.સી.આઇટી.માં 286, બી.એસસી.એચ.એસ. માં 238, બી.એ. એલ.એલ.બી.માં 91, બી.એડ.માં 50, બી.એ.આઈડી.માં 35, બી.એચ.ટી.એમ.માં 22, બી.એસસી.-એમ.એસ.સી.માં 19, બી.ડિઝાઈનમાં 18 જયારે સેમ.2માં બી.એસ.ડબલ્યુ.માં 292 અને એમ.એસ.ડબલ્યુ.માં 413 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં રેગ્યુલર અને રીપીટર બન્નેનો સમાવેશ થાય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ પરીક્ષાના મુદ્દે વિવાદો સર્જાયા હતા. ત્યારે હાલ ચાલી રહેલી પરીક્ષાનો પ્રારંભ થયો ત્યારથી એટલે કે 4 પેપરમાં પરીક્ષા દરમિયાન સી.સી.ટી.વી. બંધ હતા. તે માટે ઇન્ટરનેટ બંધ થયાનું ટેકનીકલ કારણ અપાઈ રહ્યું છે પરંતુ કેટલા દિવસ લાઈવ પરીક્ષા સી.સી.ટી.વી. બંધ રહેશે તે નક્કી નથી અને પરીક્ષાના આગામી તબક્કામાં પણ પરીક્ષાના સી.સી.ટી.વી. જાહેર થશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે. (file photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code