
રાત્રિના સમયે ભોજનમાં આ શાકભાજીને સામેલ કરવાનું ટાળો, આરોગ્યને થઈ શકે છે નુકશાન
રાત્રિભોજન આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. જો ખોરાક યોગ્ય ન હોય તો પેટનું ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે. જેના કારણે ઊંઘમાં પણ ખલેલ પડી શકે છે. તેથી, રાત્રિભોજનમાં ક્યારેય 8 શાકભાજી ન ખાવા જોઈએ.
ક્રુસિફેરસ વનસ્પતિ કોબી ખૂબ પૌષ્ટિક છે. જો તમે રાત્રે કોબી ખાઓ છો, તો તેમાં ઉચ્ચ ફાઈબર અને રેફિનોઝને કારણે એસિડિટી અને પેટનું ફૂલવું થઈ શકે છે. રાત્રિભોજનમાં કોબીની કઢી અથવા તેનાથી બનેલી કોઈપણ વસ્તુ ખાવાથી પણ ઊંઘમાં ખલેલ થઈ શકે છે.
ફૂલકોબી ખૂબ જ પૌષ્ટિક છે. તેને ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ તેમાં સલ્ફોરાફેન નામનું કમ્પાઉન્ડ જોવા મળે છે, જેનાથી ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે. ફૂલકોબીમાં ફાયબરનું પ્રમાણ વધુ હોવાને કારણે તેને પચવામાં મુશ્કેલી પડે છે.
શક્કરિયા ફાઇબર અને પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. કેટલાક લોકો તેને ખાય છે પરંતુ તેને પચવામાં મુશ્કેલી પડી શકે છે. તેમાં સ્ટાર્ચ મળી આવે છે, જેના કારણે ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.
એન્ટીઑકિસડન્ટથી ભરપૂર વટાણામાં ઉચ્ચ ફાઇબર અને ફ્રુક્ટોઝ હોય છે. તેને રાત્રે ખાવાથી પેટનું ફૂલવું થઈ શકે છે. વટાણામાં સુગર આલ્કોહોલ પણ જોવા મળે છે, જેના કારણે પાચનમાં સમસ્યા થઈ શકે છે.
લસણ સ્વાસ્થ્ય માટે એક સુપરફૂડ છે, જે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. પરંતુ તેને રાત્રે ખાવાની મનાઈ છે, કારણ કે તેનાથી પેટનું ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે. ડુંગળી ખાવાથી ગેસની સમસ્યા પણ થઈ શકે છે. આ એસિડ રિફ્લક્સ ઊંઘમાં સમસ્યા ઊભી કરી શકે છે.
ડુંગળીમાં એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ ફ્રક્ટન જોવા મળે છે. જેના કારણે ગેસની સમસ્યા થઈ શકે છે અને પેટ પણ ફૂલી શકે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે, જેના કારણે સમસ્યાઓ વધી શકે છે. પેટ ફૂલવાની સમસ્યા હોય તો રાત્રે ડુંગળી ન ખાવી જોઈએ.