સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેઈસ્ટ કોસ્ટ રેલવેના 631કિમી રૂટ પર કવચની સ્થાપના કરાશે
નવી દિલ્હી, 22 જૂન 2026: સ્વદેશી ટેક્નોલોજી દ્વારા રેલવે સુરક્ષાને મજબૂત કરવા તરફ એક મોટું પગલું ભરતા, ભારતીય રેલવેએ ઈસ્ટ કોસ્ટ રેલવેના 631 રૂટ કિલોમીટર (RKm) પર રૂ. 270 કરોડના ખર્ચે ‘કવચ’ ની જોગવાઈને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ ઈસ્ટ કોસ્ટ રેલવેના છ મહત્વપૂર્ણ રેલવે સેક્શનને આવરી લે છે, જેમાં બાઘુઆપાલ-બુઢાપંક, હરિદાસપુર-પારાદીપ, ખુર્દા રોડ (KUR)-બલાંગીર, નૌપાડા-ગુણુપુર, લાંજીગઢ રોડ-જુનાગઢ અને બોબ્બીલી-સાલુરનો સમાવેશ થાય છે.
મંજૂર કરાયેલું આ કાર્ય સમગ્ર રેલવે નેટવર્ક પર LTE-આધારિત કોમ્યુનિકેશન બેકબોન સાથે ‘કવચ’ ની સ્થાપના માટેના ભારતીય રેલવેના વ્યાપક કાર્યક્રમનો એક ભાગ છે. કવચ એ ભારતની સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ છે, જે સિગ્નલ પાસિંગ એટ ડેન્જર (SPAD), ઓવર-સ્પીડિંગ (નિયત ગતિ કરતાં વધુ ઝડપ) અને ટ્રેનની અથડામણને અટકાવીને સુરક્ષા વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ સિસ્ટમ ટ્રેનની અવરજવર પર સતત નજર રાખે છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આપમેળે બ્રેક લગાવે છે, જેનાથી ઓપરેશનલ સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થાય છે.
-
ઉન્નત સુરક્ષા, ઝડપ અને વિશ્વસનીયતા
આ રૂટો પર કવચની સ્થાપના ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન અને અથડામણ નિવારણ ક્ષમતાઓ પ્રદાન કરીને ટ્રેન કામગીરીમાં ઉચ્ચ સ્તરની સુરક્ષા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આ ઉપરાંત, કવચ ગાઢ ધુમ્મસ સહિતના પ્રતિકૂળ હવામાન દરમિયાન પણ ટ્રેનોની વધુ સુરક્ષિત અને વધુ ભરોસાપાત્ર અવરજવરને સક્ષમ બનાવે છે, જેનાથી સેવાની વિશ્વસનીયતા અને સમયપાલનમાં સુધારો થાય છે. આ પ્રોજેક્ટથી ઓડિશાના મુખ્ય સેક્શનો અને ઈસ્ટ કોસ્ટ રેલવે દ્વારા સેવા આપતા પાડોશી વિસ્તારોમાં પેસેન્જર અને માલગાડી બંનેની કામગીરીને ફાયદો થવાની અપેક્ષા છે. તે ઉચ્ચ ઘનતા ધરાવતા અને વ્યાહૂત્માક રીતે મહત્વપૂર્ણ રૂટો પર કવચના કવરેજને વિસ્તારવાના ભારતીય રેલવેના ચાલુ મિશનને વધુ મજબૂત બનાવશે.


