1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મણિપુરમાં નાગાલેન્ડ નજીક જંગલમાં લાગી ભિષણ આગ
મણિપુરમાં નાગાલેન્ડ નજીક જંગલમાં લાગી ભિષણ આગ

મણિપુરમાં નાગાલેન્ડ નજીક જંગલમાં લાગી ભિષણ આગ

0
Social Share

દિલ્હીઃ મણિપુરના નાગાલેન્ડની સીમા નજીક દજુકો રેન્જના જંગરમાં ભીષણ આગ લાગી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા સેના અને એનડીઆરએફ પાસે મદદ માંગવામાં આવી છે. જંગલમાં લાગેલી આગની સ્થિતિની માહિતી મુખ્યમંત્રી એન.બીરેનસિંહે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને મદદની ખાતરી આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર જંગોલમાં આગ લાગી હતી. આ આગ મણુપુરના સેનાપતિ જિલ્લા સુધી ફેલાઈ છે. જેથી એનડીઆરએફ અને સેના પાસે મદદ માંગવામાં આવી છે. દરમિયાન મણિપુરના મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટેલિફોનીક વાત કરી હતી. આ અંગે મુખ્યમંત્રી ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોન કરીને જંગલમાં લાગેલી આગની મેળવી હતી. તેમજ આગ ઉપર ઝડપથી કાબુ મેળવવા માટે તમામ સહકાર આપવાની ખાતરી આપી છે. દરમિયાન મુખ્યમંત્રી એન.બીરેનસિંહે જંગલ વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code