1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જખૌ પોર્ટ નજીક ગુરુવારે સાંજ 5 વાગ્યાની આસપાસ ટકરાવાની શકયતા
જખૌ પોર્ટ નજીક ગુરુવારે સાંજ 5 વાગ્યાની આસપાસ ટકરાવાની શકયતા

જખૌ પોર્ટ નજીક ગુરુવારે સાંજ 5 વાગ્યાની આસપાસ ટકરાવાની શકયતા

0
Social Share

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું આવતીકાલે માંડવી અને કરાંચી વચ્ચે જખૌ પોર્ટ નજીક ટકરાવાની શકયતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે સાંજના લગભગ 5 કલાકની આસપાસ બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે. આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની શકયતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપરજોય વાવાઝોડું જખૌ બંદરથી દરિયામાં 289 કિમી દૂર હોવાનું જાણવા મળે છે. વાવાઝોડાની તીવ્રતા વધતી હોવાથી કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડું લગભગ દર કલાકે 5 કિલોમીટર આગળ વધી રહ્યું છે. તે દેવભૂમિ દ્વારકારથી લગભગ 290  કિ.મી.ના અંતરે રહી ગયું છે. 15 જૂનની સાથે તે ગુજરાત સાથે અથડાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. દરિયાકાંઠા નજીક આવેલા જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી છે અને અત્યાર સુધીમાં 30 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

વાવાઝોડાને પગલે હાલ દરિયામાં ઉંચા મોજા ઉછડી રહ્યાં છે. તેમજ માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. મોટાભાગના બંદર ઉપર ભયજનક સિગ્નલ લગાવામાં આવ્યાં છે. આ ઉપરાંત બિચ ઉપર લોકોના જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code