1. Home
  2. ગુજરાતી
  3. અહીં ભગવાન ગણેશના દર્શન માટે આધાર કાર્ડ હોવું જરૂરી,બારકોડ સ્કેન કરીને થશે દર્શન
અહીં ભગવાન ગણેશના દર્શન માટે આધાર કાર્ડ હોવું જરૂરી,બારકોડ સ્કેન કરીને થશે દર્શન

અહીં ભગવાન ગણેશના દર્શન માટે આધાર કાર્ડ હોવું જરૂરી,બારકોડ સ્કેન કરીને થશે દર્શન

0
Social Share
  • ગણેશજીના દર્શન માટે આધાર કાર્ડ હોવું જરૂરી
  • બારકોડ સ્કેન કરતા ની સાથે થશે દર્શન
  • જમશેદપુરની ઘટના

આધાર કાર્ડ એક ઓળખ કાર્ડ બની ગયું છે, તેના વિના તમારા ઘણા કામ અટકી શકે છે, એટલા માટે દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ છે. તમને આશ્ચર્યજનક વાત જણાવી દઈએ કે ભગવાન ગણેશ પાસે પણ આધાર કાર્ડ છે, આ વાત બિલકુલ સાચી છે.

જમશેદપુરમાં ભગવાન ગણેશનો સુંદર પંડાલ બનાવવામાં આવ્યો છે, જેમાં આધાર કાર્ડ છે. આ પંડાલ લોકો માટે વિચારવાનો વિષય બન્યો છે.જમશેદપુરમાં બનેલા આ પંડાલમાં માનસરોવર તળાવની પાસે કૈલાશ પર્વતના ઉપરના માળે ભગવાન ગણેશ મહારાજનો આધાર નંબર અને પિતાનું નામ મહાદેવ તેમજ સરનામું સાથે ફોટો આપવામાં આવ્યો છે.

આધાર કાર્ડ પર એક બારકોડ છે, જેને સ્કેન કરવાથી ભગવાન ગણેશની તસવીર દેખાય છે, જેને જોઈને લોકો ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા છે અને લોકો સેલ્ફી પણ લઈ રહ્યા છે. પંડાલના આયોજક સૌરભ કુમાર છે, જેમણે માહિતી આપી છે કે,તેમણે કોલકાતામાં આવા પંડાલો જોયા હતા, જે સામાન્ય માણસના જીવન સાથે જોડાયેલા હતા.ત્યાંથી તેમને આ પંડાલ બનાવવાનો વિચાર આવ્યો.આ રીતે તેઓ દેશની જનતાને આ સંદેશ આપી રહ્યા છે કે જેમણે પોતાનું આધાર કાર્ડ નથી બનાવ્યું. બને તેટલું જલદી પૂર્ણ કરો કારણ કે હવે ભગવાન ગણેશને પણ તેમનું આધાર કાર્ડ બનાવ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code