ગુજરાતમાં અંદાજે 50 ટકા લોકોને મળી કોરોના વેક્સિન, કોરોનાનું સંક્રમણ પણ ઓછું
- ગુજરાતમાં અંદાજે 3 કરોડ લોકોને મળી વેક્સિન
- 50 ટકા લોકો થયા વેક્સિનેટ
- વેક્સિનેશનની ઝડપી પ્રક્રિયા બાદ સંક્રમણ દર ઓછો
અમદાવાદ: કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તથા ત્રીજી લહેરને રોકવા માટે સરકાર દ્વારા શક્ય એટલી ઝડપથી વેક્સિનેટ કરવામાં આવી રહ્યા છે. લોકોને વેક્સિન મળે તે માટે અનેક જગ્યાએ વેક્સિનેશન સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે.એવામાં ગુજરાત સરકાર દ્વારા પણ વેક્સિનેશનની પ્રક્રિયાને જોરશોરથી ચલાવવામાં આવી રહી છે અને 50 ટકા જેટલા લોકોને વેક્સિનેટ પણ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં લગભગ વેક્સિન લીધેલા લોકોની સંખ્યા 3 કરોડની આસપાસ પહોંચી જે રાજ્યના સંક્રમણ દરને કાબૂ રાખવામાં સારી રીતે કારગર સાબિત થઈ છે. ગુજરાતમાં હાલ એક્ટિવેટ કેસની સંખ્યા પણ અંદાજે 500ની આસપાસ છે અને મોટા ભાગના લોકો કોરોનાથી સ્વસ્થ થયા બાદ ઘરે પરત ફર્યા છે.
દેશમાં પણ કોરોના વાયરસ સામેની લડાઈ માટે સરકાર દ્વારા વેક્સિનેશનનો પ્રોગ્રામ જોરશોરથી ચલાવવામાં આવી રહ્યો છે. દેશમાં કુલ 42 કરોડ જેટલા લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે અને આગામી સમયમાં આ ગતિમાં વધારે ઝડપ આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક વેક્સિન સેન્ટર પર વેક્સિનની અછત જોવા મળતા સરકાર દ્વારા વેક્સિનનો નવો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે અને ફરીવાર વેક્સિનની ઝડપ વધી શકે તેમ છે.