અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજે હવાઈ માર્ગે ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવમાં આવ્યું હતું. એરપોર્ટ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના પીએમ બોરિસ જોનસનએ સાબરમતી આશ્રમ સુધી વિશાળ રોડ-શો યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકો રોડ-શોમાં ઉમટી પડ્યાં હતા. ઠેર-ઠેર બંને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટનના પીએમ બોરિસ જોનસન ભારતના પ્રવાસે આવ્યાં છે. તેઓ હવાઈ માર્ગે તેઓ અમદાવાદ આવ્યાં હતા. એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારાં અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું. એરપોર્ટ ઉપર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના મહાનુભાવોએ બોરિસ જોનસનનું સ્વાગત કર્ય હતું. બ્રિટિશ PMનો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાયો હતો. યુકેના PMનું અભિવાદન કરવા સુભાષબ્રિજ કલેકટર ઓફિસ ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી માર્ગમાં ઠેર-ઠેર બોરિસ જોનસનના સ્વાગતના બેનર લગાવાયા હતા. ગુજસેલ બહારથી ગાંધી આશ્રમ સુધી લોકો સ્વાગત માટે એક હાથમાં ભારત અને બીજા હાથમાં યુકેનો ધ્વજ લઈને પહોંચ્યા હતા.
બોરિસ જોનસનની આ મુલાકાત ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોને લઈ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તંત્ર દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આજે બ્રિટનના પીએમ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહશે. ગુજરાતથી તેઓ દિલ્હી જશે. જ્યાં બ્રિટનના પીએમ ભારતના પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે. આ મુલાકાત દરમિયાન વિદેશનીતિ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને યુકેના પ્રધાનમંત્રી વેપાર, સંરક્ષણ અને યૂક્રેન સંકટ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રી રોડમેપ 2030 ના અમલીકરણની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા વિશે વાત કરશે એમ મંત્રાલયે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી જ્હોન્સનનું રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વાગત કરવામાં આવશે અને 22 એપ્રિલે પ્રધાનમંત્રી સાથે દ્રીપક્ષીય પરામર્શ કરશે.