1. Home
  2. ગુજરાતી
  3. એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરે તે પહેલા જ ફાટ્યું ટાયર – કાઠમંડુથી દિલ્હી જતી 173 લોકોથી ભરેલી ફ્લાઈટમાં બની ઘટના
એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરે તે પહેલા જ ફાટ્યું ટાયર – કાઠમંડુથી દિલ્હી જતી 173 લોકોથી ભરેલી ફ્લાઈટમાં બની ઘટના

એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરે તે પહેલા જ ફાટ્યું ટાયર – કાઠમંડુથી દિલ્હી જતી 173 લોકોથી ભરેલી ફ્લાઈટમાં બની ઘટના

0
Social Share
  • એરઈન્ડિયાનું વિમાનનું ફાટ્યું ટાયર
  • કાઠમંડુથી દિલ્હી જતી ફ્લાઈટની ઘટના

દિલ્હીઃ- છેલ્લા ઘણા મહિનાઓથી વિમાનમાં ખામી સર્જવાના કારણે બનતી ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યાર ઈન્ડિયાના વિમાનમાં ખામી સર્જવાની અનેક વખત ઘટના બની છે ત્યારે વિતેલા દિવસે પણ એર ઈન્ડિયાના વિમાનમાં ટેકઓફ કરતા પહેલા જ ટાયર ફાટવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કાઠમંડુથી નવી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 216 વિતેલા દિવસને  શુક્રવારે ટાયર ફાટવાના કારણે રદ કરવામાં આવી હતી. આ સાથે જ આ ફ્લાઇટમાં 173 લોકો સવાર હતા, જેમાં 164 મુસાફરો અને નવ ક્રૂ મેમ્બનો સમાવેશ થાય છે.

જાણકારી અનુસાર ટાયર પંચરની ઘટના ટેક ઓફ પહેલા બની હતી જેને લઈને કોઈ નુકશાન થયાની માહિતી નથી,આ ધઘચના ત્યારે બની કે જ્યારે પ્લેન કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટથી સ્થાનિક સમય અનુસાર સાંજે 4.30 વાગ્યે નવી દિલ્હી માટે રવાના થવાનું હતું. ત્યારે જ એર ઈન્ડિયાના ફરજ પરના અધિકારીએ ટાયર પંચર થયાની માહિતી આપી હતી. વિમાનને રનવે પરથી પાર્કિંગ વિસ્તારમાં લઈ જવામાં આવ્યું હતું. ફ્લાઇટ હવે જરૂરી જાળવણી કાર્ય અને રિશેડ્યુલ કર્યા પછી શનિવારે એટલે કે આજરોજ રવાના થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code