1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં વર્ષો જુના એલિસબ્રિજની કાયાપલટ કરાશે, AMCએ બનાવ્યો પ્લાન
અમદાવાદમાં વર્ષો જુના એલિસબ્રિજની કાયાપલટ કરાશે, AMCએ બનાવ્યો પ્લાન

અમદાવાદમાં વર્ષો જુના એલિસબ્રિજની કાયાપલટ કરાશે, AMCએ બનાવ્યો પ્લાન

0
Social Share

અમદાવાદ: શહેરમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન બનાવેલો ઐતિહાસિક એલિસબ્રિજ વર્ષો પછી પણ અડિખમ ઊભો છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી વાહનો માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ રાહદારીઓ માટે પણ બંધ કરાયો છે. શહેરના ભવ્ય ભૂતકાળ સાથે પણ બ્રિજ જોડાયેલો છે. અલિસબ્રિજ આજે પણ એના સ્ટ્રક્ચર માટે આજે પણ બેનમુન છે. એટલે જ એની હયાતી જળવાઈ રહી છે. હવે આ બ્રિજની કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને મ્યુનિ.કોર્પોરેશને જરુરી કાર્યાવાહી  શરુ કરી દીધી છે. આગામી સમયમાં આ બ્રિજ પર આર્કિટેક્ચરલ એલિમેન્ટ્સ અંતર્ગત ડેકોરેટીવ પ્લાન્ટેશન તથા બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે ટુંક જ સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરુ કરવામાં આવશે.

અમદાવાદ શહેરની સાબરમતી નદી પરનો સર્વપ્રથમ અંગ્રેજ શાસનકાળ દરમિયાન 1892માં એટલે કે 130 વર્ષ પહેલાં સ્ટીલ સ્ટ્ર્કચરના 14 સ્પાનનો આર્ચ ટાઈપ બો સ્ટ્રીંગ ટાઈપનો સ્ટીલ સ્ટ્રકચરનો હેરિટેજ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જે વર્ષ 1892માં 4 લાખનો ખર્ચ કરીને બનાવેલો હતો. જેની મુખ્ય લાક્ષણિકતામાં બ્રિજની કુલ લંબાઈ 433.41 મીટર પહોળાઈ 6.25 મીટર બ્રિજમાં 30.96 મીટરના કુલ 14 સ્પાન બો સ્ટ્રીંગ ટાઈપનો સ્ટીલ સ્ટ્રક્ચર તથા બ્રિજના ફાઉન્ડેશનમાં 1.83 મીટર ડાય ના 2 સિલ્ડીરિકલ સ્ટીલ પાઈન દરેક સ્પાનને છેડે આપવામાં આવેલા હતા. જેમાં પિયર પોર્શનમાં 1.52 મીટર ડાયાના સિલ્ડીરિકલ પિયર ક્રોસ બેરિંગ પણ નાંખવામાં આવેલાં હતા. આમ આજે પણ આ બ્રિજ એના સ્ટ્રક્ચર માટે બેનમુન છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના હેરિટેજ મોન્યુમેન્ટમાં સમાવિષ્ટ આ બ્રિજને નુકશાન અંગનો રિપોર્ટ એક્સપર્ટ ડિઝાઈન કન્સલટન્ટ એજન્સી પાસે મેટલર્જિક્લ સર્વે કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જે મુજબ બ્રિજના સ્ટ્રેધનિગની કામગરી માટે જરુરી આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં હયાત એલિસબ્રિજને સ્ટ્રેન્ધનિંગની કામગીરીમાં મુખ્ય ટ્ર્સના જોઈન્ટસ રિપેર કરવા, બોટમ ગર્ડર, બોટમ સ્ટ્રીજર્સ તેમ જ બોટમ જોઈન્ટસ બદલવા તથા નવી બેરિંગ ઈન્સ્ટોલ કરવી, કોમ્પોઝીટ પિયર સ્ટ્રકચર વચ્ચેનાં લેસિંગ તથા બ્રેસિંગ જરુર મુજબ બદલવા, પિયરને કોરોઝનથી બચવાવા માટે એન્ટી કોરોઝન ટ્રીટમેન્ટ અંતર્ગત એનોડ લગાવવા, બોટમ ડેક સ્લેબ જર્જરિત થઈ ગયો હોવાથી તેને દુર કરીને નવો કરવા વગેરે કામગીરી કરાશે.  ત્યારબાદ આ બ્રિજ પર આર્કિટેક્ચરલ એલિમેન્ટ્સ અંતર્ગત ડેકોરેટીવ પ્લાન્ટેશન તથા બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે ટુંક જ સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરુ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code