1. Home
  2. ગુજરાતી
  3. ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં ભૂકંપના આંચકા, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ.
ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં ભૂકંપના આંચકા, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ.

ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં ભૂકંપના આંચકા, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ.

0
Social Share

બેંગકુલુ: શુક્રવારે મોડી રાત્રે પશ્ચિમ ઇન્ડોનેશિયામાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, એમ યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ)ના અહેવાલમાં જણાવાયું છે. ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યાને સાત મિનિટે  આ તેજ આંચકાથી લોકો પોતાના ઘર-ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા. USGS એ નોંધ્યું હતું કે ઑફશોર ભૂકંપ 8:30 PM (1330 GMT) પછી બેંગકુલુના દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 212 કિલોમીટર (132 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો.

સુનામીની ચેતવણી?

ભારતમાં ઇન્ડિયન ઓશન સુનામી વોર્નિંગ એન્ડ મિટિગેશન સિસ્ટમ (IOTWMS) એ નોંધ્યું છે કે ભૂકંપ સુનામી પેદા કરવામાં સક્ષમ છે,  જે હિંદ મહાસાગર ક્ષેત્રને ‘ઐતિહાસિક માહિતી અને સુનામી મોડેલિંગના આધારે’ અસર કરી શકે છે. હાલમાં જ ત્રણ દિવસ પહેલાં બુધવારે રાત્રે હિમાચલ પ્રદેશના કુલુ અને મંડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિકટર સ્કેલ પર 4.1 ની હતી. જયારે બુધવારે સવારે 9:55ના સુમારે અરુણાચલ પ્રદેશમાં પણ ૩.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

જોકે, પોતાની વેબસાઇટ પર IOTWMS એ જણાવ્યું હતું કે ‘ ઇન્ડોનેશિયામાં સુનામીનો કોઈ ખતરો નથી’. ભૂકંપનું કેન્દ્ર એન્ગાનો ટાપુ નજીક હતું. ઉપરાંત, એએફપી મુજબ, બેંગકુલુના રહેવાસીઓના કહ્યા મુજબ આ  ભૂકંપ હળવો હતો.

(ફોટો: ફાઈલ)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code