1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં મિલકતોના મૂલ્યાંકનના મુદ્દે દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડયુટી ભરપાઈની અરજી ઓનલાઈન સ્વીકારાશે
ગુજરાતમાં મિલકતોના મૂલ્યાંકનના મુદ્દે દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડયુટી ભરપાઈની અરજી ઓનલાઈન સ્વીકારાશે

ગુજરાતમાં મિલકતોના મૂલ્યાંકનના મુદ્દે દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડયુટી ભરપાઈની અરજી ઓનલાઈન સ્વીકારાશે

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં તા.15મી એપ્રિલથી જંત્રીના દરમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલ રજિસ્ટ્રાર કચેરીઓ પર દસ્તાવેજ માટે ભીજ જોવા મળી રહી છે. સરકારે રજાના દિવસોએ પણ રજિસ્ટ્રારની કચેરી કાર્યરત રાખવાની જાહેરાત કરી છે. બીજીબાજુ સરકારે મિલકતોની બજાર કિંમત નકકી કરવાની થતી હોય તેવા કિસ્સામાં દસ્તાવેજોમાં કેટલી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થાય છે તે માટેની અરજી 15 માર્ચ 2023થી  એટલે કે, આજથી મેન્યુઅલી નહીં પણ ઓનલાઈન જ સ્વીકારવામાં આનવી રહી છે. આ માટે આઈઆરસીએમએસ પોર્ટલ ઉપર ઓનલાઈન એપ્લીકેશન મારફતે અરજદારોને અરજી કરવાની સુવિધા મહેસુલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક દ્વારા આ મુદ્દે સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર સંભાળના નાયબ કલેકટરોને પોર્ટલ ઉપર કલમ-31 હેઠળની ઓનલાઈન એપ્લીકેશન સ્વીકારવા માટે સૂચના આપવામાં આવી છે. નાગરિકો દ્વારા કરાતા દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડયુટીનો પ્રી-વેલ્યુએશનનો અભિપ્રાય મેળવવા માટેની અરજીમાં કેટલી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થાય છે તેની કામગીરી મેન્યુઅલી કરવામાં આવે છે. અરજદારોને ઓનલાઈન સુવિધા મળી રહે અને કચેરીમાં વારંવાર આવવાની જરૂરિયાત ન રહે તે માટે આઈઆરસીએમએસ પોર્ટલ ઉપર ઓનલાઈન એપ્લીકેશન કરવાની રહેશે. આ માટે ircms.gujarat.gov.in ઉપર અરજદારોએ લોગઈન આઈડી બનાવીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અરજી મળ્યા બાદ તંત્રએ બે દિવસમાં તેનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો રહેશે. અરજદારની અરજી પરથી સ્ટેમ્પ ડયુટીની ગણતરી કરી અભિપ્રાય આપવાની કાર્યવાહી ઓનલાઈન કરીને દસ દિવસમાં અરજીનો નિકાલ કરવા પણ જણાવાયુ  છે. જો અરજીનો અસ્વીકાર કરાય તો તેના સ્પષ્ટ કારણો દર્શાવવા પણ સૂચના આપવામાં આવી છે. અરજી મળતા ન્યાય નિર્ણય ફીના ચલણ બનાવી આપવાના રહેશે. જે અરજદારે મેન્યુઅલી કચેરીમાં રજૂ કરવાના રહેશે. અન્યથા અરજદાર દ્વારા અગાઉથી ચલણ ભરપાઈ કરી ઓનલાઈન અરજી સાથે રજુ કરવાના રહેશે.
અરજદારો દ્વારા ઓનલાઈન IRCMS પોર્ટલ ઉપર ircms.gujarat.gov.in ઉપર E-fillingમાં જઈ લોગીન આઈ.ડી. ક્રીએટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદારે કરેલ ઓનલાઈન અરજી અન્વયે નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. 1) અરજદારની અરજી મળ્યેથી દિન-02માં તેઓની અરજીને સ્વીકાર કે અસ્વીકાર કરવાનો રહેશે. જો અરજીનો અસ્વીકાર કરવામાં આવે તો તે અંગેના સ્પષ્ટ કારણો દર્શાવવાના રહેશે. તેમજ અરજી મળ્યેથી ન્યાય નિર્ણય ફીના ચલણ બનાવી આપવાના રહેશે. જે અરજદારોએ મેન્યુઅલી કચેરીમાં રજુ કરવાના રહેશે. અન્યથા અરજદાર દ્વારા અગાઉથી ચલણ ભરપાઈ કરી ઓનલાઈન અરજી સાથે રજુ કરવાના રહેશે. 2) અરજદારની અરજી પરત્વે સ્ટેમ્પ ડયુટીની ગણતરી કરી, કલમ-31 હેઠળ અભિપ્રાય આપવા અંગેની કાર્યવાહી ઓનલાઈન હાથ ધરવાની રહેશે. અને 3) અરજદારની કરેલી અરજી અન્વયે ઉપર જણાવેલી તમામ કાર્યવાહી દિન-10માં અરજીનો નિકાલ કરવાનો રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code