
જોરજોરથી તમે પણ બોલાવો છો નસ્કોરા ? તો હવે આ રીતે મેળવી શકો છો તેમાંથી છૂટકારો
- નસકોરાના કારણે પાસે સુતેલા લોકોની ઊંધ બગડે છે
- તો હવે નસ્કોરામાંથી આ રીતે મેળવો છૂટકારો
ઘણા લોકો ઊંધમાં મોટે મોટે થી નસ્કોરા બોલાવતા હોય છે ત્યારે આવી સ્થિતિમાં બાજૂમાં સુતેલા લોકોની ઊંધ ખરાબ થાય છે જો તમને પણ મોટે મોટેથી નસ્કોરા બોલાવાની આદત છએ તો તમે તેમાંથી ઘરેલું ઉપાય વડે છૂટકારો મળવી શકો છો અને બીજાની ઊઁધને આરામ આપી શકો છો.
આલ્કોહોલનું સેવન ટાળો
જો તમે આલ્કોહલ લઈ રહ્યા છો તો તમને નસ્કોરા બોલાવાની ટેવ હોઈ શકે છે,દારૂ પીવાને લીધે ઊંઘ દરમિયાન માંસપેશીઓ વધારે રિલેક્સ થઈ જાય છે અને તેના કારણે ઍર-વે વધુ સંકુચિત થઈ જાય છે.તેથી આ આદત છોડીદો
એક સાઈડ સુવાની આદત રાખો
જ્યારે સીધી છાતીએ સુવામાં આવે ત્યારે જીભ, દાઢી તેમજ દાઢીના નીચેના ભાગના સ્નાયુઓ ઍર-વેમાં ખલેલ પહોંચાડે છે.જો એ રીતે ઊંઘવાની આદત હોય અને નસકોરાં બોલી શકે છે. એ ટાળવા માટે આડા પડખે ઊંઘવું જોઈએ.
નાકમાં ઓલિવ ઓઈલ નાખવું
જેને શ્વાસ લેવામાં ઘણી વાર તકલીફ થતી હોય તેઓ નાકમાં ઓલિવ ઓઈલ નાખીને તેને સાફ કરી શકે છે. રાત્રે સૂતા પહેલા આના થોડા ટીપા નાકમાં નાખીને સૂઈ જાઓ અને આમ કરવાથી ધીરે ધીરે નસકોરાની સમસ્યા દૂર થઈ જશે.