જમ્મુ કાશ્મીરના સોપોરમાં સેનાએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યો
- સેનાને મળી મોટી સફળતા
- એક આતંકી ઠાર મરાયો
- હાલ સર્ચ ઓપરેશન શરુ
શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ શાંતિ ભંગ કરવાનો સતત પ્રયત્ન કરતા રહેતા હોય છે જો કે સેનાના જવાનો ખડેપગે રહીને દેશની સુરક્ષા કરી રહ્યા છે અને આતંકીઓ પર ખાસ નજર રાખીને તેમના નાપાક કાવતરાઓને નાકામ કરી રહ્યા છએ ત્યારે વિતેલા દિવસને બુધવારની સાંજે જમ્મપ કાશ્મીરના સોપોરમાં સેનાને મોટાી સફળતા મળી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન 2 આતંકવાદીને ઠાર માર્યો છે. આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. મળતી માહિતી પ્રમાણે આતંકીઓ હાલ પર સંતાયેલા છે જેને લઈને સેનાનું સર્ચ ઓપરેશન શરુ જ છે.
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં બુધવારે રાત્રે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સાથે જ ક્રોસ ફાયરિંગમાં એક નાગરિક ઘાયલ થયો હતો. સુરક્ષા દળોએ હજુ પણ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. કાશ્મીર ઘાટીમાં બુધવારે સતત બીજા દિવસે એન્કાઉન્ટર થયું હતું.
પોલીસે જણાવ્યું કે, સોપોરના બોમઈ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસ, આર્મી અને સીઆરપીએફના જવાનોએ આતંકી સંતાયા હોવાની શંકાને ધ્યાનમાં રાખીને ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જો કે ઘેરાબંધી કડક થતી જોઈને સંતાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોએ પહેલાતો આત્મસમર્પણ કરવાનું કહ્યું, પરંતુ તેઓ એ આમ ન કર્યું, આતંકીઓ તરફથી ગોળીબાર શરુ કરવામાં આવ્યો સેનાએ પણ વળતા જવાબની કાર્યવાહી કરી.જેમાં બે આતંકીઓ ઠાર થયા છે.