1. Home
  2. ગુજરાતી
  3. આ જગ્યાઓ પર ફરવા જવાનું ટાળો,આ જગ્યા નથી સારી
આ જગ્યાઓ પર ફરવા જવાનું ટાળો,આ જગ્યા નથી સારી

આ જગ્યાઓ પર ફરવા જવાનું ટાળો,આ જગ્યા નથી સારી

0
Social Share

આપણા દેશના લોકો ફરવા માટે અઢળક રૂપિયા ખર્ચ કરતા હોય છે. લોકોને ફરવાનું સૌથી વધારે પસંદ હોય છે. જો વાત કરવામાં આવે આપણા દેશના લોકોની તો એ તો મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા જતા હોય છે. લોકો જે તે સ્થળ વિશે જાણીને એ સ્થળે ફરવા જતા રહેતા હોય છે પરંતુ જો વાત કરવામાં આવે ન ફરવાલાયક સ્થળોની તો કેટલાક સ્થળો એવા પણ છે કે જ્યાં ફરવા જવાનું લોકોએ ટાળવું જોઈએ.

સૌથી પહેલા આવે છે અમેરિકાનો નેશનલ પાર્ક, અમેરિકાનો આ નેશનલ પાર્ક 84 મિલિયન એકરમાં ફેલાયેલો છે. આ પાર્ક ચારેય બાજુથી ગાઢ જંગલો, ડેઝર્ટ્સ અને ઉંચા-ઉંચા પહાડથી ઘેરાયેલો છે. આ ગાઢ જંગલમાં આવનારા એક પણ વ્યક્તિ પાછા નથી જઈ શક્યા. આ પાર્કના આ જ રહસ્યને ઑર્થર ડેવ્ડ પોલીડેસે પોતાની પુસ્તક Missing 411માં લખ્યું છે, જેમાં અંદાજિત 1,100 લોકોના ગાયબ થઈ જવાની ઘટનાઓ વિશે જણાવવામાં આવ્યું છે.

આ પછી આવે છે રાજસ્થાનમાં આવેલો ભાનગઢનો કિલ્લો, આ કિલ્લાને લોકો ભૂતિયો કિલ્લો કહે છે. આ કિલ્લાને લઈને અનેક વાતો પ્રચલિત છે પણ  હકીકત શું છે તેના વિશે કોઈને નથી ખબર. લોકોના કહેવા પ્રમાણે આ જગ્યા પર લોકોને નેગેટિવ એનર્જીનો અનુભવ થાય છે અને જે લોકોને આ પ્રકારની વસ્તુઓથી દુર રહેવું હોય તે લોકોએ આ જગ્યાઓ પર જવુ જોઈએ નહી.

પુણેનો શનિવારવાડા કિલ્લો ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે. અહીં મોટી સંખ્યામાં લોકો જાય છે. જોકે કેટલાક લોકો તેને ભૂતિયા પણ માને છે. આ કિલ્લામાં મરાઠા સામ્રાજ્યના દસમા પેશ્વા નારાયણ રાવ ભટ્ટની હત્યા કરવામાં આવી હતી. તેઓ માત્ર 18 વર્ષના હતા. આ ઘટનાએ આ કિલ્લા વિશે વિવિધ ભયાનક વાર્તાઓને જન્મ આપ્યો છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code