1. Home
  2. ગુજરાતી
  3. હળદરને પાણીમાં મીલાવીને સ્નાન કરવાથી ચહેરાની ચમકમાં થશે વધારો
હળદરને પાણીમાં મીલાવીને સ્નાન કરવાથી ચહેરાની ચમકમાં થશે વધારો

હળદરને પાણીમાં મીલાવીને સ્નાન કરવાથી ચહેરાની ચમકમાં થશે વધારો

0
Social Share

સુંદર ચહેરો દરેકને પસંદ હોય છે તેમજ ચેહરાની સુંદરતા માટે લોકો વિવિધ ફેરનેસ ક્રિમ અપનાવે છે, જ્યારે ઘરમાં પડેલી કેટલીક વસ્તુઓ પણ ચહેરના નિખાર માટે ઉપયોગી સાબિત થાય છે. એક ચપટી હળદરને નહાવાના પાણીમાં મિલાવીને સ્નાન કરવાથી ચહેરો નિખરવાની સાથે ચેહરા ઉપર ખીલ સહિતની સમસ્યામાં છુટકારો મળશે. હળદરને આયુર્વેદમાં ખુબ મહત્વનું માનવામાં આવે છે. શરદી-ખાંસી સહિતની બીમારીમાં આર્યુવેદ અનુસાર હળદરને ફાયદાકારક માનવામાં આવે છે.

ત્વચામાં ચમક આવેઃ જ્યારે તમે નહાવાના પાણીમાં હળદર ઉમેરો છો તો તેની સીધી અસર તમારી ત્વચા પર જોવા મળે છે. હળદરના પાણીનો નિયમિત ઉપયોગ કરવાથી તમારી ત્વચામાં એક અલગ જ ચમક આવે છે. હળદરમાં બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો જોવા મળે છે, જેના કારણે તેનો ઉપયોગ તમારી ત્વચાને અન્ય ઘણા ફાયદાઓ આપી શકે છે.

ખંજવાળ અને ફોલ્લીઓથી છુટકારો મળશેઃ જો તમને ખંજવાળ અને ફોલ્લીઓની સમસ્યા હોય તો તમારે તમારા નહાવાના પાણીમાં હળદર ભેળવી જવી જોઈએ. થોડા દિવસો સુધી તેનો ઉપયોગ કરવાથી તમે ખંજવાળ અને ચકામાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

ડાઘ દૂર થશેઃ જો તમારા શરીર પર ફોલ્લીઓ છે, તો તમારે તમારા નહાવાના પાણીમાં હળદર ચોક્કસપણે ઉમેરવી જોઈએ. હળદરનો ઉપયોગ તમારી ત્વચાના પિગમેન્ટેશનને સુધારે છે અને ડાઘથી પણ છુટકારો મેળવી શકે છે. જો તમારી ત્વચા પર ટેનિંગની અસર દેખાતી હોય તો પણ તમારે નહાવાના પાણીમાં હળદર મિક્સ કરવી જોઈએ.

ખીલમાંથી રાહતઃ જો તમારા ચહેરા પર ખીલ છે, તો હળદર તમને તેમાંથી છુટકારો મેળવવામાં પણ મદદ કરી શકે છે. જ્યારે તમે નહાવાના પાણીમાં હળદર નાખીને એ જ પાણીથી ચહેરો ધોઈ લો તો તમે ખીલની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code