1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતના મતદારોનો વિશ્વાસ ભાજપ જાળવશેઃ સી.આર.પાટીલ
ગુજરાતના મતદારોનો વિશ્વાસ ભાજપ જાળવશેઃ સી.આર.પાટીલ

ગુજરાતના મતદારોનો વિશ્વાસ ભાજપ જાળવશેઃ સી.આર.પાટીલ

0
Social Share

અમદાવાદઃ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે વિજયની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મતદારોનો આભાર માન્યો હતો. તેમજ મતદારોનો વિશ્વાસ ભાજપ જાળવશે. તેમ પણ તેમણે જણાવ્યું હતું.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં તાજેતરમાં અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય હતો અને કોંગ્રેસનો સફાયો થયો હતો. વર્ષ 2015માં ભાજપની 5 જિલ્લા પંચાયતમાં જીત્યું હતું. ત્યારે હાલ 31 જિલ્લા પંચાયતમાં ભાજપ જીતી રહ્યું છે. ગુજરાતના મતદારો પીએમ મોદી અને ભાજપ સરકારની કામગીરીથી ભાજપના સમર્પિત છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન 31 સભા અને 18 રેલીઓમાં મે અનુભવ્યું હતું કે, તમામ જિલ્લા પંચાયતમાં ભાજપનો વિજય થશે. ગુજરાતની જનતાએ ફરી ભાજપ ઉપર વિશ્વાસ મુખ્યો છે. તેમજ પ્રજાએ ભાજપને સમર્થન આપ્યું છે. મને વિશ્વાસ છે કે, મતદારોનો વિશ્વાસ ભાજપના ઉમેદવારો તુટવા નહીં દે. તેમની અપેક્ષા કરતા વધારે સારુ પરિણામ આપીશું.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપની જીતને લઈને મતદારોની સાથે ભાજપના કાર્યકરો અને નેતાઓનો પણ આભાર માન્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code