- ભારતમાં આજની તારીખે રોકડ રાખવાનો ટ્રેન્ડ યથાવત્
- કોરોના સંકટને કારણે દેશમાં કરન્સી સર્ક્યુલેશનમાં 5 લાખ કરોડ રૂપિયાની ઐતિહાસિક વૃદ્વિ
- ગત 1 વર્ષ દરમિયાન દેશમાં નાણાંના પ્રવાહમાં 22 ટકાની વૃદ્વિ
નવી દિલ્હી: મોદી સરકાર ભલે કેશલેસ ઇન્ડિયા માટે લોકોને પ્રોત્સાહિત કરતી હોય કે પ્રયાસો કરતી હોય તેમ છત્તાં હજુ પણ ભારતમાં આજની તારીખે રોકડ નાણાંનો ટ્રેન્ડ યથાવત્ છે. કોરોના સંકટને કારણે દેશમાં કરન્સી સર્ક્યુલેશનમાં 5 લાખ કરોડ રૂપિયાની ઐતિહાસિક વૃદ્વિ થઇ છે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના નવા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. RBIના એક રિપોર્ટ અનુસાર, 1 જાન્યુઆરી 2019 થી 1 જાન્યુઆરી 2020 દરમિયાન દેશમાં કરન્સીના સર્ક્યુલેશનમાં 5,01,405 કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે અને સિસ્ટમમાં રહેલા નાણાંનું કુલ મૂલ્ય વધીને રૂ.27,70,315 લાખ કરોડે પહોંચી ગયું છે. જો ટકાવારીની દૃષ્ટિએ વાત કરીએ તો ગત 1 વર્ષ દરમિયાન દેશમાં નાણાંના પ્રવાહમાં 22 ટકાની વૃદ્વિ થઇ છે.
આરબીઆઇએ રિપોર્ટમાં એવું પણ જણાવ્યું છે કે, જ્યારે જ્યારે જીડીપી ગ્રોથમાં તેજી આવે છે ત્યારે કરન્સીનું સર્ક્યુલેશન વધી જાય છે. કોરોનાના કારણે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઇ ચૂકી છે. વિશ્વભરની મધ્યસ્થ બેંકો તરફથી લિક્વિડિટી-તરલતા વધારવા અને ઇમરજન્સીને કારણે પોતાની રોકડ રાખવાને કારણે જીડીપીમાં ઘટાડો થવા છતાં નાણાં પ્રવાહમાં વધારો થયો છે. ચાલુ નાણાંકીય વર્ષે ભારતના જીડીપી ગ્રોથમાં 7.5 ટકાના ઘટાડાનો અંદાજ છે. આ સ્થિતિમાં જીડીપીની તુલનાએ કરન્સી સર્ક્યુલેશન 15 ટકાને આંબી શકે છે.
આપને જણાવી દઇએ કે નાણાકીય વર્ષ 2015-17માં દેશમાં નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી. તેના કારણોસર નાણાંકીય વર્ષ 2017માં કરન્સી સર્ક્યુલેશનમાં 20 ટકાનો ઘટાડો આવ્યો હતો. જ્યારે નવી ચલણી નોટો જારી કરવામાં આ તો ત્યાર પછીના નવા નાણાકીય વર્ષે કરન્સી સર્ક્યુલેશનમાં 37 ટકાની ઐતિહાસિક વૃદ્વિ થઇ હતી. વર્ષ 2010-20 દરમિયાન સરેરાશ સર્ક્યુલેશન 12.6 ટકા તેમજ ગગત 50 વર્ષોમાં 13.8 ટકા રહ્યું છે.
કોરના મહામારીને કારણે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદના મહિનાઓમાં કોરોના સંક્રમણના કેસ વધ્યા હતા. આ દરમિયાન બેંક થાપણો સતત ઘટવા લાગી તથા કરન્સી સર્ક્યુલેશનમાં ઝડપી વૃદ્વિ થઇ હતી. આરબીઆઇએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, વિકસિત દેશોમાં પણ કરન્સીનું સર્ક્યુલેશન વધ્યું છે.
(સંકેત)