1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

બંગાળમાં પ્રથમ તબક્કામાં થયેલા જંગી મતદાન બદલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ડ્યુટી પર તૈનાત કર્મચારીઓના નામ મતદાર યાદીમાંથી કથિત રીતે હટાવવા અંગેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે અરજદારોએ હવે એપેલેટ ટ્રિબ્યુનલ અથવા કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પશ્ચિમ બંગાળમાં […]

ભારતમાં જોખમી ઔદ્યોગિક કચરાના ઉત્પાદનની સામે નોંધાયેલા સ્થળો ખુબ જ ઓછા

વર્ષે આશરે 1.566 કરોડ મેટ્રિક ટન જોખમી ઔદ્યોગિક કચરાનું ઉત્પાદન માત્ર 200થી પણ ઓછા પ્રદુષિત સ્થળ નોંધાયેલા નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: ભારતમાં દર વર્ષે આશરે 1.566 કરોડ મેટ્રિક ટન જોખમી ઔદ્યોગિક કચરો પેદા થાય છે. આટલી મોટી માત્રામાં કચરો હોવા છતાં, સરકારી ચોપડે આખા દેશમાં માત્ર 200થી પણ ઓછા પ્રદૂષિત અથવા સંભવિત પ્રદૂષિત સ્થળો […]

નવા AI ટૂલ Mythos સામે નાણામંત્રીએ નાગરિકોને સાવધાન રહેવા ચેતવણી આપી

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026 – નવા AI ટૂલ Mythos સામે સાવધાન રહેવા નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમણે નાગરિકોને સાવધાન રહેવા ચેતવણી આપી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન Anthropic ના Claude Mythos મોડલ અને તેના સંભવિત સાયબર સુરક્ષા જોખમો વિશે ચર્ચાઓ […]

ગૃહમંત્રી અમિત શાહે કયા આધારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે?

કોલકાતા, 24 એપ્રિલ, 2026 – ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ આ વખતે નિશ્ચિતરૂપે સરકાર બનાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે શુક્રવારે કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. રાજ્યમાં ગઈકાલે ગુરુવારે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનને આધારે આ દાવો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ અમિત શાહનો મોટો દાવો પશ્ચિમ […]

રસ્તો ભટકાવાનું હવે અશક્ય: જાણો કેવી રીતે કામ કરે છે જીપીએસ ટેકનોલોજી અને શું છે તેનું મહત્વ

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: આજના આધુનિક યુગમાં એક ક્લિક પર ગમે ત્યાંથી સામાન મંગાવવો હોય કે અજાણ્યા શહેરમાં રસ્તો શોધવો હોય, આ બધું જ જીપીએસ ટેકનોલોજીને કારણે શક્ય બન્યું છે. સ્માર્ટફોન કે કારમાં નેવિગેશન સિસ્ટમ ચાલુ કરતાં જ આપણે નિર્ધારિત સ્થળે પહોંચી શકીએ છીએ. આ ચમત્કાર સમાન ટેકનોલોજી પાછળ અવકાશમાં કાર્યરત સેટેલાઇટ્સનું એક મોટું […]

વિધાનસભા ચૂંટણીઃ પશ્ચિમ બંગાળમાં 90 ટકા અને તમિલનાડુમાં 84 ટકાથી વધુ જંગી મતદાન

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભાની 152 બેઠકો અને તમિલનાડુની 234 બેઠકો ઉપર આજે મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળમાં કેટલીક જગ્યાએ હિંસક અથડામણના બનાવો બન્યાં હતા. દરમિયાન સાંજે પાંચ વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 89.93 અને તમિલનાડુમાં 82.24 ટકા જેટલુ મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાની 152 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. […]

બંધારણમાં સંસ્થાનવાદી અવશેષો, બ્રિટિશ તાજે નકારી દીધું હતું તે પ્રજાસત્તાકે અપનાવ્યું

સબરીમાલા સહિત હિન્દુ આસ્થા કેન્દ્રો અંગે સુપ્રીમ કોર્ટમાં હાલ 9 (નવ) જજની બંધારણીય બેન્ચ દ્વારા સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દો આપણી શ્રદ્ધાનો હોવા છતાં સ્વતંત્રતાના આટલાં વર્ષ પછી પણ કોઈને કોઈ કારણસર આપણે એ માનસિક ગુલામીમાંથી બહાર નથી આવી શક્યા જે અંગ્રેજ શાસન દરમિયાન ઘર કરી ગઈ હતી. અંગ્રેજોએ 200 વર્ષમાં શિક્ષણ, ન્યાયતંત્ર, વહીવટીતંત્ર […]

ઋષિકેશ AIIMSનો દીક્ષાંત સમારોહ: ઉપરાષ્ટ્રપતિએ સ્નાતકોને રાષ્ટ્ર નિર્માણ-માનવતાની સેવા કરવા આહવાન કર્યું

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે ઉત્તરાખંડના ઋષિકેશ સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે યુવા તબીબોને સંબોધતા જણાવ્યું હતું કે, આ પદવી માત્ર વર્ષોની મહેનતનું પરિણામ નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની એક મોટી જવાબદારીની શરૂઆત છે. હિમાલયના પ્રવેશદ્વાર […]

પૂર્વાંચલ એક્સપ્રેસવે પર સુલતાનપુર ખાતે ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા ઉભી કરાઈ

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: ભારતીય વાયુસેનાએ 22 એપ્રિલ, 2026ના રોજ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર દિવસ અને રાત બંને સમયે ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) સક્રિય કરી. આનાથી વાયુસેનાની સંરક્ષણ તૈયારીઓને મજબૂત બનાવવાની કામગીરીની ક્ષમતા દર્શાવવામાં આવી. ઉત્તર પ્રદેશના પંચાયતી રાજ અને લઘુમતી કલ્યાણ રાજ્યમંત્રી શ્રી ઓમ પ્રકાશ રાજભર, એર માર્શલ બી. મણિકાંતન […]

ઝાલમુડી મેં ખાધી પણ તીખું ટીએમસીને લાગ્યું, પીએમ મોદીએ TMC ઉપર કર્યાં આકરા પ્રહાર

કોલકાતા, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના 152 બેઠકો પરના મતદાન વચ્ચે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. બીજા તબક્કાની 142 બેઠકો માટે પ્રચાર કરવા કૃષ્ણનગર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, “ઝાલમુડી મેં ખાધી છે પણ તેની તીખાશ (ઝાલ) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code