1. Home
  2. ગુજરાતી
  3. ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ફરી ઘટાડાઈ, ઓર્બિટમાં ફેરફાર કરાયો
ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ફરી ઘટાડાઈ, ઓર્બિટમાં ફેરફાર કરાયો

ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ફરી ઘટાડાઈ, ઓર્બિટમાં ફેરફાર કરાયો

0
Social Share

નવી દિલ્હીઃ ISRO આજે એટલે કે 9 ઓગસ્ટે બપોરે 1.40 વાગ્યે ઓર્બિટમાં ફેરફાર કર્યો છે. આ સાથે,હાલ ચંદ્રયાન-3 એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે જેમાં ચંદ્રથી તેનું લઘુત્તમ અંતર 174 Km અને મહત્તમ અંતર 1437 Km છે.ચંદ્રયાન-3 હવે પછી 14 ઓગસ્ટ 2023 ના રોજ બપોરના 11.30 થી 12.30 કલાકની વચ્ચે પોતાની નવી કક્ષા ધારણ કરશે. 22 દિવસની મુસાફરી પછી, ચંદ્રયાન 5 ઓગસ્ટના રોજ સાંજે 7.15 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું. ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં તેને કેદ કરી શકાય તે માટે યાનની ગતિ ઘટાડવામાં આવી હતી. સ્પીડ ઓછી કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ યાનના ફેસને પલટીને થ્રસ્ટર 1835 સેકેન્ડ એટલે લગભગ અડધા કલાક માટે ફાયર કર્યું. આ ફાયરિંગ સાંજે 7.12 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું.

ઈસરોના ચંદ્રયાન-3 ઉપર દેશ નહીં દુનિયાની નજર મંડાયેલી છે. ઓગસ્ટ મહિનામાં 23 કે 24મી તારીખે ચંદ્રયાદ-3 ચંદ્રની સપાટી ઉપર ઉતરે તેવી શકયતા છે. જો કે, ચંદ્રયાન-3 સફળતા પૂર્વક આગળ વધી રહ્યું છે. ભારતનું આ અભિયાન સફળ થાય તેવુ દુનિયાના મોટાભાગના દેશો ઈચ્છી રહ્યાં છે. અગાઉ ચંદ્ર ઉપર અમેરિકા, રશિયા અને ચીન પહોંચી ચુક્યું છે. હવે ભારત ચંદ્ર ઉપર પહોંચનાર ચોથો દેશ બનશે. ચંદ્રયાન તાજેતરમાં જ ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. હવે ચંદ્રયાન-3 ચંદ્ર ઉપર સફળતા પૂર્વક ઉતરાયણ કરે તેવી આશા દેશની જનતા રાખી રહ્યું છે. ઇસરો પણ ચંદ્રયાન-3 ઉપર સતત નજર રાખી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code